મિશન ૨૦૧૯ને માટે દરેક પ્રકારનાં રાજનૈતિક દળોએ અત્યારથી જ કમર કસી લીધી છે. જ્યાં કોંગ્રેસ ફરી વાર સત્તામાં આવવાનાં સંપૂર્ણ પ્રયાસ કરી રહેલ છે ત્યાં બીજી બાજુ ભાજપ પણ હાથમાં આવેલી સત્તાને ગુમાવવા નથી ઇચ્છતી જેથી ભાજપ માં દુર્ગાનાં શરણે પહોંચી ગઇ છે.આ દિવસોમાં જ નવરાત્રીમાં પશ્ચિમ બંગાળનાં સૌથી મોટા તહેવાર દુર્ગા પૂજાને જોતા ભાજપે સામાન્ય લોકો સુધી પહોંચવાનો આઇડીયા શોધી લીધો. ભાજપે રાજ્યમાં પૂજા દરમ્યાન પંડાલોની આસપાસ અંદાજે ૩૦૦૦ બુકસ્ટોલ લગાવવાનો નિર્ણય કર્યો છે કે જેમાં પાર્ટીની વિચારધારા પર આધારિત અનેક પુસ્તકો પણ પ્રદર્શિત કરવામાં આવશે.
ભાજપની વિચારાધારી પુસ્તકો સિવાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જનસંઘ સાથે જોડાયેલ અનેક પુસ્તકો પણ આ સ્ટોલ પરથી નજર આવશે. આ સાથે જ રાષ્ટ્રીય નાગરિક પંજી, નાગરિકતા (સંશોધન) વિધેયક પર સામગ્રી પ્રદર્શિત કરીને લોકોને વિવાદાસ્પદ મુદ્દાઓથી અવગત કરાવવામાં આવશે. ભાજપનાં પ્રદેશ મહાસચિવ સાયંતન બસુએ કહ્યું કે, આ વર્ષે સમગ્ર રાજ્યમાં અંદાજે ૩,૦૦૦ બુકસ્ટોલ લગાવવામાં આવશે. ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષનાં જણાવ્યા અનુસાર ઇતિહાસમાં આ વખતે દુર્ગા પૂજામાં સૌથી વધારે સ્ટોલ હશે.