Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાની સ્થાપના કરવામાં આવી

ગુજરાતમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાની સ્થાપના કરવામાં આવી છે. આ પ્રસંગે કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ યોગેદ્ર સિંહ કટાર મુખ્ય અતિથી તરીકે હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં ગુજરાતમાં સ્થાપના સાથે ભૈરવસિંહ શેખાવતને રાષ્ટ્રીય મહાસચિવ તરીકેની જવાબદારી સોપવામાં આવી હતી.અને ગુજરાતમાં સૌથી વધુ રાજપૂતોને કરણી સેનામાં જોડવા માટે જવાબદારી આપવામાં આવી હતી.
કરણી સેનાનો મુખ્ય ઉદેશ દેશમાં રજપૂતોને થઇ રહેલો અન્યાય સામે લડવાનો અને સંસ્કૃતિને બચાવાનો છે.આગામી દિવસોમાં કરણી સેના સરકાર પાસે આર્થિક ક્ષેત્રે અનામત અને સમાનતા લાવવા માટે રસ્તાઓ પર આંદોલન પણ કરશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો રાજ્યભરમાંથી આવ્યા હતા.

Related posts

સાબરકાંઠા ફોરેસ્ટ વિભાગે પાંચ શિકારી ઝડપ્યા

editor

અમદાવાદ : ઝાડા-ઉલ્ટીના ૨૩ દિનમાં ૪૭૩ કેસ થયા

aapnugujarat

ગોધરાકાંડ : યાકુબ પાતળીયાને આખરે જન્મટીપની સજા કરાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1