કેન્દ્ર સરકારે એટીએમ સંબંધિત નવા નિયમો જાહેર કર્યા છે, જેમાં જણાવાયું છે કે શહેરી વિસ્તારમાં રાત્રે ૯ વાગ્યા બાદ એટીએમમાં કેશ નહીં ભરવામાં આવે. એક કેશ વાનમાં સિંગલ ટ્રિપમાં ૫ કરોડથી વધારે રૂપિયા નહીં હોય. આ સિવાય કેશ વાનમાં તૈનાત કર્મચારીઓ પર હુમલા, કેશ વાનનો પીછો કરતાં ગુંડાતત્વો અને અન્ય ભયનો સામનો કરવા માટે કર્મચારીઓને ટ્રેનિંગ અપાશે. કેશ વાનમાં હવે સીસીટીવી, લાઈવ જીપીએસ ટ્રેકિંગ અને બંદૂક સાથે ઓછામાં ઓછા બે સિક્યુરિટી ગાર્ડ જરૂરી દરેક કર્મચારીઓના બેકગ્રાઉંડની તપાસ કરવા માટે તેમના આધાર કાર્ડનું વેરિફિકેશન કરવામાં આવશે ગુંડાતત્વો અને અન્ય ભયનો સામનો કરવા માટે કર્મચારીઓને ટ્રેનિંગ અપાશે ગૃહ મંત્રાલય તરફથી આદેશ આપવામાં આવ્યો છે કે કેશ ટ્રાંસપોર્ટ સાથે જોડાયેલા દરેક કર્મચારીઓના બેકગ્રાઉંડની તપાસ કરવા માટે તેમના આધાર કાર્ડનું વેરિફિકેશન કરવામાં આવશે. નવા નિયમો પ્રમાણે, ગ્રામીણ ક્ષેત્રોમાં સાંજે ૬ વાગ્યા બાદ કોઈપણ એટીએમમાં કેશ નહીં ભરવામાં આવે. દરેક કેશ વાનમાં હવે સીસીટીવી, લાઈવ જીપીએસ ટ્રેકિંગ અને બંદૂક સાથે ઓછામાં ઓછા બે સિક્યુરિટી ગાર્ડ જરૂરી છે.
આગળની પોસ્ટ