Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક ભવ્ય કાર્યક્રમમાં લોંચ થશે

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકને ભવ્ય કાર્યક્રમની વચ્ચે દિલ્હીમાં લોંચ કરવા માટેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે ભવ્ય કાર્યક્રમની વચ્ચે આ સ્કીમ લોંચ કરવામાં આવશે. તે ગાળામાં વડાપ્રધાન મોદીની સાથે દૂરસંચાર પ્રધાન મનોજ સિંહા પણ ઉપસ્થિત રહેશે. દેશમાં તમામ ૬૫૦ જિલ્લાઓમાં એક સાથે આની શરૂઆત કરવામાં આવનાર છે. આના પહેલા જીણવટભરી બાબતોને ધ્યાનમાં લેવામાં આવી રહી છે. રવિશંકર પ્રસાદ કોલકાતામાં આ કાર્યક્રમ લોંચ કરશે. સુશીલકુમાર મોદી પટણામાં આ કાર્યક્રમ લોંચ કરશે. દરેક જિલ્લામાં એક શાખા શરૂ કરવામાં આવ્યા બાદ આનાથી સીધો ફાયદો ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોને થશે. ગ્રામીણ વિસ્તારોમાં ફાઈનાન્સીયલ સર્વિસ ઉપર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે. મોદીએ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક લોન્ચ કરવા ૨૧મી ઓગસ્ટનો સમય આપ્યો છે. આ બેન્કની બે શાખાઓ પહેલાથી જ ઓપરેશનલ થઈ ચુકી છે. બાકીની ૬૪૮ શાખાઓ દરેક જિલ્લામાં દેશભરમાં લોન્ચ કરાશે. દુરસંચાર મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ આજે માહિતી આપતા કહ્યું હતું કે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક ૧.૫૫ લાખ પોસ્ટ ઓફિસ શાખાઓ સુધી પહોંચશે. જેના ભાગરૂપે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને બેન્કીંગ અને ફાઈનાન્સિયલ સર્વિસ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સરકાર ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક સર્વિસ સાથે ૧.૫૫ લાખ પોસ્ટ ઓફિસ શાખાઓને લીન્ક કરવાની યોજના ધરાવે છે. આ વર્ષના અંત સુધીમાં સેવાને તમામ શાખા સાથે લીન્ક કરી દેવામાં આવશે. ગ્રામીણ સ્તર સુધી સીધી ઉપસ્થિતિ સાથે આનાથી દેશની સૌથી મોટી બેન્કીંગ સેવા પહોંચી જશે. છેલ્લા સપ્તાહમાં જ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કના સીઈઓ સુરેશ શેઠીએ કહ્યું હતું કે ૬૫૦ શાખાઓ સાથે જોરદાર તૈયારી કરવામાં આવી છે. ૧૭ કરોડ પોસ્ટલ સેવિંગ બેંકને તેના ખાતા સાથે જોડી દેવામાં આવનાર છે. ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને વધુને વધુ લાભ મળે તે હેતુસર આની શરૂઆત કરવામાં આવી રહી છે. ડિજીટલ બેન્કીંગ અને ફાઈનાન્સિયલ સર્વિસનો લાભ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો મેળવી શકશે. જેમાં મની ટ્રાન્સફરની સેવા મળશે. એક બેન્કથી અન્ય કોઈપણ બેન્કમાં મની ટ્રાન્સફર થઈ શકશે. પોસ્ટ ઓફિસની મુલાકાત લઈને અથવા તો મોબાઈલ એપની મદદ લઈને કોઈપણ બેન્ક ખાતામાં નાણાં સરળતાથી ટ્રાન્સફર થઈ શકશે.

Related posts

બેેંકના નામે છેતરતી સંસ્થાઓથી બચવા આરબીઆઇએ શરૂ કર્યો હેલ્પલાઇન નંબર

aapnugujarat

वित्त मंत्रालय ने हर महीने 1.1 लाख करोड़ रुपए GST संग्रह का लक्ष्य रखा

aapnugujarat

स्मृति इरानी का राहुल पर तंज, क्या अमेठी सिंगापुर बन गई ?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1