બોલિવૂડ એક્ટર સંજય દત્તાની બાયોપિક ‘સંજૂ’ ભલે પડદા પરથી ઉતરી ગઇ હોય પરંતુ લોકો સવાલ હજુ પણ ઉઠાવી રહ્યા હતા કે શું રાજકુમાર હિરાણીએ સંજય દત્તની ઇમેજ સુધારવા માટે ‘સંજૂ’ ફિલ્મ બનાવી હતી. તાજેતરમાં રાજકુમાર હિરાણીએ આ સવાલનો જવાબ આપ્યો હતો.‘સંજૂ’ ફિલ્મનું પ્રદર્શન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્નમાં કર્યું હતું. આ દરમિયાન ફિલ્મના ડિરેક્ટર હિરાણીએ મીડિયા સાથે વાત કરી હતી. સંજયની ઇમેજ સુધારવા પર હિરાણીએ જણાવ્યું હતું કે, ‘વ્હાઇટવોશિંગ’ને શબ્દ તરીકે ઉછાળવામાં આવી રહી છે. જેણે ફિલ્મ જોઇ હોય એ જણાવે કે સંજયનો ગુનો શું હતો. તેની પાસે ગન હતી. હા તેણે ગન રાખી હતી અને અમે તે બતાવ્યું છે. અમે એ પણ બતાવ્યું છે કે તેણે પોતાની ભૂલ બદલ પાંચ વર્ષની સજા ભોગવી છે. તેમાં ઇમેજ સુધારવાનો સવાલ જ ક્યાં આવે છે, જે ક્રાઇમ હતો, તેને અમે બતાવ્યો છે.
વધુમાં હિરાણીએ કહ્યું કે, અમે સંજયની લાઇફની તમામ બાબતો બતાવી છે. તેની ૩૦૮ ગર્લફ્રેન્ડ હતી, તે ડ્રગ્સનો વ્યસની હતો, તે પોતાની દોસ્તની ગર્લફ્રેન્ડ સાથે સૂઇ ગયો હતો. તેમાં ક્યા વ્હાઇટવોશિંગ આવ્યું? જો અમારે કોઇની ઇમેજ જ સુધારવી હોય તો અમે તેને મહાત્મા ગાંધી બનાવ્યો.. તો શું વ્હાઇટવોશ થયું? નોંધનીય છે કે હિરાણીની આ ફિલ્મએ બોક્સ ઓફિસ પર ૩૦૦ કરોડથી વધુની કમાણી કરી. તેમને સારી વાર્તા અને સબ્જેક્ટ મળશે ત્યારે જ આગામી ફિલ્મ બનાવશે.
આગળની પોસ્ટ