Aapnu Gujarat
ગુજરાત

પોઇચાના નર્મદા કિનારે સ્નાન કરી રહેલા ત્રણ બાળકો તણાયા, બે બાળકોના મોત

રાજપીપળાના પોઇચાના નર્મદા કિનારે એક જ પરિવારના ત્રણ બાળકો પાણીમાં તણાઇ જતાં કરુંણાતિકા સર્જાઇ છે. એક જ પરિવારના ત્રણ બાળકો પાણીમાં ડૂબી ગયા છે.
પાણીમા ડૂબી ગયેલા ત્રણ પૈકી બે બાળકોનું મોત થયું છે. જ્યારે એક બાળકની શોધખોળ ચાલી રહી છે.પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપળાના દેવીપુજક પરિવાર રાજપીપળાના પોઇચાના નર્મદા કિનારે બાધા કરવા માટે આવ્યો હતો.
દેવી પુજક પરિવાર નર્મદા કિનારે સ્નાન કરી રહ્યો હતો. આ દરમિયાન પરિવારના ત્રણ બાળકો ઊંડા પાણીમાં તણાઇ ગયા હતા. જેમાં પરિવારે તથા સ્થાનિક લોકોએ બાળકોને બચાવવાની કોશિશ કરી હતી પરંતુ તેમણે બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા.મહત્વનું છે કે તણાઇ ગયેલા ત્રણ બાળકોમાંથી બે બાળકોનું મોત થયું છે. જ્યારે એક બાળકનો હજુ કોઇ પત્તો લાગ્યો નથી. જેથી હવે બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Related posts

નવનિયુક્ત ભાજપ પ્રમુખ સીઆર પાટિલ હવે ઉત્તર ગુજરાત જશે

editor

जातिवादी कारक मेरी हार की मुख्य वजह : अल्पेश

aapnugujarat

ओढव में माता – पुत्री की हत्या से सनसनी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1