Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

ટીમ ઈન્ડિયાની બર્મિંગહામ ટેસ્ટમાં હાર

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બર્મિંગ્હામના એજબેસ્ટનમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે ઇંગ્લેન્ડે ભારત પર ૩૧ રને જીત મેળવી હતી. આની સાથે જ ઇંગ્લેન્ડ પોતાની ૧૦૦૦મી ટેસ્ટ મેચ જીતી ઇતિહાત રચવામાં સફળતા મેળવી હતી. ઇંગ્લન્ડ હવે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં ૧-૦થી આગળ છે.  મેન ઓફ દ મેચ તરીકે સેમ કરેનની પસંદગી કરવામાં આવી હતી. પ્રથમ ટેસ્ટમાં કરેને પાંચ વિકેટ ઝડપી હતી. ભારત ૧૯૪ રનના લક્ષ્યાંકનો પીછો કરતા માત્ર ૧૬૨ રનમાં જ ઓલઆઉટ થઇ ગયુ ંહતું. ભારત તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ સૌથી વધુ ૫૧ રન બનાવ્યા હતા.
બીજી ઇનિંગ્સમાં પણ કોહલી સિવાય તમામ બેટ્‌સમેનો ફ્લોપ રહ્યા હતા. ભારત તરફથી છેલ્લે હાર્દિક પંડ્યાની વિકેટ પડી હતી. બેન સ્ટોકે હાર્દિપ પંડ્યાને આઉટ કરવામાં સફળતા મેળવી હતી.
ચોથા દિવસની પ્રથમ ઓવરમાં જ દિનેશ કાર્તિક આઉટ થયો હતો. ઇંગ્લેન્ડના ખેલાડી બેન સ્ટોક્સે બીજી ઇનિંગ્સમાં ૪ વિકેટ ઝડપી. આ પહેલા ઇંગ્લેન્ડની ટીમ ૫૩ ઓવરમાં ૧૮૦ રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી.  ઇંગ્લેન્ડી બીજી ઇનિંગમાં ઇંશાત શર્માએ એક ઓવરમાં ૩ વિકેટ લીધી હતી. ત્રીજા દિવસની રમતમાં લંચ પહેલા ૩૧મી ઓવરમાં ઇંશાતે બીજા બોલ પર બેયરસ્ટો, ચોથા બોલ પર બેન સ્ટોક્સને આઉટ કર્યા હતા. જ્યારે લંચ પછીની ઓવરના છેલ્લા બોલ પર ઇશાંતે બટલરની વિકેટ ઝડપી પાડી હતી.
ઇશાંત શર્મા એજબસ્ટનના આ મેદાનમાં એક ઇનિંગમાં ૫ કે તેનાથી વધારે વિકેટ લેનાર ત્રીજો ભારતીય ખેલાડી બન્યો હતો. આ પહેલા કપિલ દેવ ૧૯૭૯માં ૫/૧૪૬ અને ચેતન શર્મા ૧૯૮૬માં ૬/૫૮ આ સિદ્ધિ હાંસલ કરી ચુક્યા છે. ઇશાંત શર્માએ ટેસ્ટમાં ૨૪૪ વિકેટનો સ્કોર બનાવ્યો  છે. આ પહેલા અનિલ કુંબલે, કપિલ દેવ, હરભજન સિંહ, રવિચંદ્રન અશ્વિન, ઝહીર ખાન, બિનશન સિંહ બેદી, વીએસ ચંદ્રશેખર અને જવાગલ શ્રીનાથે ટેસ્ટમાં ૨૦૦થી વધુ વિકેટ લીધાની સિદ્ધિ હાંસલ કરી છે.

Related posts

સેન્સેક્સમાં ૩૩૬ પોઈન્ટનો કડાકો

aapnugujarat

પૂર્વ રક્ષામંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસનું નિધન

aapnugujarat

ટ્રાઇની નવી જોગવાઈ આજથી અમલી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1