પાલનપુર શહેરના માર્બલના વેપારી બિશનલાલ બાબુલાલ અગ્રવાલે અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો છે. સોમવારે સાંજે ગુમ થયા બાદ પરિવારજનો તેની શોધખોળ કરી રહ્યા હતા. મંગળવારે સવારે તેનો મૃતદેહ મળી આવ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે બે દિવસથી ગુમ થયેલા માર્બલના વેપારીનો મૃતદેહ આજે સવારે માનસરોવર ગરનાળા પાસેથી મળી આવ્યો હતો. વેપારીએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તબક્કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બિશનલાલ સોમવારે કોઈને જણાવ્યા વગર ગુમ થઈ ગયા હતા. બાદમાં પરિવારના લોકોએ તેમની શોધખોળ આદરી હતી. આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. મંગળવારે સવારે વેપારીનો મૃતદેહ મળી આવતા પાલનપુર પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વેપારીના મૃતદેહની બાજુમાંથી એક ઝેરની બોટલ પણ મળી આવી છે.
ગરનાળા નીચેની મળી આવેલા વેપારીના મૃતદેહની બાજુમાંથી ઝેરની બોટલ પણ મળી આવી છે. ઝેરની બોટલ ઉપરાંત એક પાણીની બોટલ અને એક સ્ટિલનો વાટકો પણ મળી આવ્યો છે. આથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ગરનાળા ખાતે આવીને વેપારીઓ ઝેરી દવા ગટગટાવી લીધી હશે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ