Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીએ યુપીમાં ૮૧ પ્રોજેક્ટ લોંચ કર્યાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી પહેલા ઉત્તરપ્રદેશ ઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી દીધું છે. આના ભાગરૂપે મોદીએ ઉત્તરપ્રદેશ માટે એક પછી એક યોજનાઓની જાહેરાત કરવાનો સીલસીલો જારી રાખ્યો છે. મોદીએ આજે લખનૌમાં એક કાર્યક્રમમાં ૬૦,૦૦૦ કરોડથી વધુના ૮૧ મૂડીરોકાણના પ્રોજેક્ટો શરૂ કર્યા હતા. ૬૦ હજાર કરોડ રૂપિયાના ખર્ચ સાથે શરૂ થનાર યોજનાઓના શિલાન્યાસ પ્રસંગે મોદીએ એમ પણ કહ્યું હતું કે ઉત્તરપ્રદેશની સમૃદ્ધિમાં આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે. મોદીએ પ્રસંગે ઉત્તરપ્રદેશ સરકાર અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ભારે પ્રશંસા કરી હતી. કાર્યક્રમમાં મોદીની સાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ રામ નાઈક, નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય, દિનેશ શર્મા, મંત્રી સતિષ મહાના, સુરેશ રાણા પણ ઉપસ્થિત રહ્યા હતા. મોદીએ કહ્યું હતું કે જે લોકો મોદીની ટીકા કરતા રહે છે તે સારી રીતે સમજી લે કે ટીકા કરવા માટે તેમના ખાતામાં ચાર વર્ષ છે. બીજાના ખાતામાં ૭૦ વર્ષ છે. આ ગાળા દરમિયાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે ઉત્તરપ્રદેશમાં તેમના એક વર્ષના શાસનકાળમાં ઉત્તરપ્રદેશમાં ૬૦ હજાર કરોડ રૂપિયાનું રોકાણ થયું છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે ઉત્તરપ્રદેશને એક ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવામાં વધારે સમય લાગશે નહીં. એકલા નોઈડા અને ગાઝીયાબાદમાં મૂડીરોકાણથી નંબર તો વધી શક્યા હોત પરંતુ પ્રજાને ફાયદો થઈ શક્યો ન હોત. કેટલાક લોકોના ફોટા ઉદ્યોગપતિઓની સાથે થયા નથી પરંતુ તમામ લોકો ઈચ્છે છે. અહીં અમરસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. કારોબારીઓની સાથે ઉભા રહેવા પર મોદીએ કહ્યું હતું કે જો ઈરાદા સાફ અને સ્વચ્છ રહે તો કોઈની પણ સાથે ઉભા રહેવાથી કોઈ નુકસાન થતું નથી. અમે એવા લોકો નથી જે ઉદ્યોગપતિઓની સાથે ઉભા રહેવાથી ભયભિત થઈ રહ્યા છે જે ખોટું કરશે તેને દેશ છોડીને ભાગવું પડશે અથવા તો જેલ જવું પડશે. પહેલા લોકો પડદા પાછળ ઉદ્યોગપતિઓને મળવાનું પસંદ કરતા હતા. આ લોકો સાથે ઉભા રહેવાથી ડરતા હતા. દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે સરકારની આના ઉપર પણ નજર છે.
ઉત્તરપ્રદેશમાં ૬૦ હજાર કરોડ રૂપિયાનું મૂડીરોકાણ ખૂબ મોટી બાબત દેખાઈ રહી છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી એવું ભારત જોવા ઈચ્છતા હતા જ્યાં ગ્રામીણ વિસ્તારો અને શહેરો વચ્ચે અંતર ઓછું રહે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે અંતર જોવા ન મળે. મજુરો અને આવકમાં પણ વધારે અંત જોવા ન મળે. વહીવટીતંત્ર અને નાગરિકો વચ્ચે સંપર્ક રહે. તેમણે ઉમેર્યું હતું કે વર્તમાન સમયમાં દેશ દુનિયામાં મોબાઈલ મેન્યુફેકચરીંગના હબ તરીકે છે. ઉત્તરપ્રદેશ આમાં સૌથી અગ્રણી છે. ૫૦થી વધારે મોબાઈલ મેન્યુફેકચરીંગ કંપનીઓ ઉત્તરપ્રદેશમાં છે. દુનિયાની સૌથી મોટી મોબાઈલ મેન્યુફેકચરીંગ કંપની પણ ઉત્તરપ્રદેશ નોઈડામાં છે. મોદીએ ઉમેર્યું હતું કે એઈડી બલ્બોના વિતરણના પરિણામ સ્વરૂપે છેલ્લા ત્રણ વર્ષમાં વીજળીના બીલમાં ૫૦ હજાર કરોડ રૂપિયાની બચત થઈ છે. ઉત્તરપ્રદેશના સાંસદ હોવાના રૂપે પણ ઉત્તરપ્રદેશના વિકાસના સમાચાર તેમને રાહત આપે છે. ઉત્તરપ્રદેશના લોકોનો પણ અધિકાર બને છે. આજ કારણસર તેઓ બે પાંચ વખત નહીં પરંતુ ૧૫-૧૬ વખત આવતા રહે છે. મોદીએ ઉમેર્યું હતું કે માર્ચ સુધીમાં દરેક ઘરમાં વીજળી પહોંચાડવનું લક્ષ્ય છે જેને પૂર્ણ કરી લેવામાં આવશે.
વિકાસની શરૂઆત થઈ છે અને વધારે તેજ ગતિ સાથે આગળ વધવાની જરૂર છે. ક્લિન અને ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં આગળ વધવા મોદીએ ઉદ્યોગપતિઓને અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નેતૃત્વમાં સરકાર શાનદાર કામગીરી અદા કરી રહી છે. એક સમય એવો હતો જ્યારે ઉત્તરપ્રદેશમાં લોકો મૂડીરોકાણને પડકારરૂપ ગણતા હતા. માત્ર ગાઝીયાબાદ અને નોઈડામાં જ વિકાસની ગતિવિધિ ચાલતી હતી. ઉત્તરપ્રદેશની પ્રજાને તેઓએ વચન આપ્યું હતું કે પ્રેમને વ્યાજ સાથે ચૂકવવામાં આવશે. આજે આ યોજનાઓ આના પરિણામ સ્વરૂપે દેખાઈ રહી છે.

૫૦ હજાર કરોડની યોજના ટૂંકમાં લોંચ થશે : યોગી
લખનૌમાં એક કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશ માટે ૬૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ કિંમતના ૮૧ મૂડી રોકાણના પ્રોજેક્ટો લોન્ચ કરવામાં આવ્યા ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે વડાપ્રધાનની પ્રેરણા અને માર્ગદર્શનમાં અમે પોતાની પ્રથમ ઈન્વેસ્ટર્સ મીટનું આયોજન કર્યું હતું. પાંચ મહિનામાં જ ૬૦ હજાર કરોડથી રૂપિયાથી વધુના મૂડી રોકાણના પ્રસ્તાવેને વાસ્તવિક કરવામાં આવી રહ્યા છે. યોગીએ કહ્યું હતું કે બહુજન સમાજ પાર્ટીના પાંચ વર્ષના ગાળામાં ૫૭ હજાર કરોડ રૂપિયાનું રોકાણ થયું હતું. અમારા એક વર્ષના શાસનકાળમાં જ ૬૦ હજાર કરોડ રૂપિયાનું રોકાણ થઈ રહ્યું છે. ટૂંક સમયમાં જ ૫૦ હજાર કરોડની બીજી યોજનાઓ જમીન પર ઉતારવામાં આવશે. યોગીએ કહ્યું હતું કે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં શ્રેષ્ઠ પાંચ રાજ્યોમાં ઉત્તરપ્રદેશ સામેલ છે. આ વર્ષના અંતમાં બુંદલખંડ એક્સપ્રેસ વેને શરૂ કરી દેવામાં આવશે. કોઈપણ કંપની પ્રદેશની બહાર જવા માટે નહીં બલ્કે વિસ્તારને આગળ વધારવા માટે તૈયાર છે. માર્ચ ૨૦૧૭ પહેલા કંપનીઓ ઉત્તરપ્રદેશમાંથી બહાર જવા માટે ઉત્સુક રહેતી હતી પરંતુ સ્થિતિ હવે બદલાઈ ગઈ છે.
જાન્યુઆરી ૨૦૧૯માં યોજાનાર પ્રયાગરાજ કુંભમાં ભાગ લેવા માટે તેઓ તમામ લોકોને આમંત્રિત કરે છે. ઉત્તરપ્રદેશમાં ફેબ્રુઆરી ૨૦૧૮માં ઉત્તરપ્રદેશ ઈન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરાયું હતું. જેમાં ચાર લાખ ૬૮ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરાયું હતું. આ વખતે ફરીથી આયોજન કરવામાં આવનાર છે.

Related posts

Death toll rises to 44 in Kullu bus incident

aapnugujarat

બંગાળમાં ચૂંટણી પ્રચારનો અંત

aapnugujarat

पालघर भीड़ हिंसा मामले में 47 आरोपियों को मिली जमानत

editor

Leave a Comment

UA-96247877-1