Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

શેરબજારમાં ફ્લેટ કારોબાર

શેરબજારમાં આજે ભારે ઉથલપાથલ વચ્ચે પ્રવાહી સ્થિતિ રહી હતી. જો કે, કારોબારના અંતે સેંસેક્સ ૩૩ પોઇન્ટ ઉછળીને ૩૬૫૫૮ની ઉંચી સપાટીએ રહ્યો હતો. ઇન્ડેક્સ ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન ૩૬૯૪૭ની ઉંચી સપાટીએ પહોંચ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સ બે પોઇન્ટ ઘટીને ૧૧૧૩૨ની સપાટીએ રહ્યો હતો. ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન તેની સપાટી ૧૧૧૫૭ સુધી પહોંચી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં એક ટકાનો ઉછાળો નોંધાયો હતો. કેનેરા બેંક, ઇન્ડિયન બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના શેરમાં ઉછાળો નોંધાયો હતો. ત્રિમાસિક ગાળાના પરિણામ પણ હવે જારી કરવામાં આવનાર છે. ટેલિકોમની મહાકાય કંપની ભારતી એરટેલ, બાયોકોન, આઈટીસી, મારુતિ સુઝુકી, તાતા પાવર, તાતા કોફી, યશ બેંક દ્વારા ગુરુવારના દિવસે જૂન મહિનાના ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા જારી કરવામાં આવનાર છે. બેંક ઓફ બરોડા, એચસીએલ ટેક, આઈસીઆઈસીઆઈ બેંક, એમ એન્ડ એમ ફાઇનાન્સ દ્વારા શુક્રવારના દિવસે તેમના પરિણામ જાહેર કરવામાં આવનરા છે. કારોબારમાં ઉથલપાથલ રહી શકે છે. કારણ કે, વેપારીઓ એફ એન્ડ ઓ સેગ્મેન્ટમાં સ્થિતિને લઇને ગણતરી કરી રહ્યા છે. જુલાઈ એફ એન્ડ ઓ કોન્ટ્રાક્ટની અવધિ ગુરુવારના દિવસે પુરી થઇ રહી છે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં શનિવારના દિવસે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા જેમાં અનેક પ્રોડક્ટ ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આ વસ્તુઓ પર ટેક્સના રેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જે ચીજવસ્તુઓ ઉપર ટેક્સ સ્લેબ ઘટાડવામાં આવ્યા હતા તેમાં પેઇન્ટ્‌સ, લેધરની ચીજવસ્તુઓ, સ્ટોવ, ટેલિવિઝન, વોશિંગ મશીનનો સમાવેશ થાય છે. આ તમામ ઉપર રેટને ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવ્યો હતો. સેનેટરી નેપકિનને ટેક્સમુક્ત કરવાનો નિર્ણય કરાયો હતો. પેટ્રોલ સાથે સંબંધિત ઇથેનોલ ઉપર રેટને પણ ઘટાડવામાં આવ્યો હતો. ૧૦૦૦ રૂપિયા સુધીના ફુટવેર અને ફર્ટિલાઇઝર ગ્રેડ ફોસ્ફોરિક એસિડ પર ટેક્સ રેટને ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો હતો. અવિશ્વાસ પ્રસ્તાવ ઉડી બાદ તેની પણ અસર બજારમાં જોવા મળી શકે છે.
અવિશ્વાસ દરખાસ્તની તરફેણમાં શુક્રવારે ૧૨૬ અને વિરુદ્ધમાં ૩૨૫ મત પડ્યા હતા. મોનસુનમાં પ્રગતિ, ગ્લોબલ માર્કેટમાં પ્રવાહ, ટ્રેડવોરને લઇને તંગદિલી, વિદેશી મૂડીરોકાણકારો દ્વારા રોકાણ, ક્રૂડ ઓઇલની કિંમત જેવા અન્ય પરિબળો પણ જોવા મળી શકે છે. સેંસેક્સ ગઇકાલે મંગળવારના દિવસે ૧૦૬ પોઇન્ટ ઉછળીને ૩૬૮૨૫ની ઉંચી સપાટીએ રહ્યો હતો.

Related posts

प्रधानमंत्री ने रांची में किया योग, बोले वेलनेस पर फोकस होना चाहिए

aapnugujarat

દાઉદે જબીર મોતીની ધરપકડ કરાવી છે : હેવાલ

aapnugujarat

अमरनाथ श्रद्धालुओं को पत्थरबाजों से भी खतरा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1