Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સજાતીય સંબંધ અંગેનો ચુકાદો સુપ્રીમમાં અનામત

સજાતિય સંબંધો અપરાધ છે કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે સહમતિ સાથે સજાતિય સંબંધોને અપરાધથી બહાર રાખવાના સંદર્ભમાં ચુકાદો અનામત રાખીને આ મામલા પર પક્ષ અને વિપક્ષની ચર્ચા કરી રહેલા વકીલો પાસેથી શુક્રવાર સુધી લેખિત જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૭૭ની બંધારણીય કાયદેસરતાને પડકાર ફેંકનાર અરજીઓ ઉપર ચીફ જસ્ટિસ દિપક મિશ્રા, જસ્ટિસ આરએફ નરિમન, જસ્ટિસ કેએમ ખાનવીલકર, જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાની પાંચ જજની બેંચ સુનાવણી કરી રહી છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ નરિમને ટિપ્પણી કરી હતી કે, જો કોઇ કાયદા મૂળ અધિકારોની વિરુદ્ધ છે તો અમે તેનો ઇંતજાર કરીશું નહીં કે બહુમતિની સરકાર આને રદ કરી દે. અમને વિશ્વાસ થઇ જશે કે કાયદો મૂળભૂત અધિકારોની વિરુદ્ધમાં છે ત્યારે અમે સરકારને આને રદ કરવાના સંદર્ભમાં રાહ જોઇશું નહીં. સરકાર ક્યારે રદ કરે છે તેની રાહ જોવામાં આવશે નહીં.
સજાતીય સંબંધોને અપરાધથી હદની બહાર કરવામાં આવે કે કેમ તેને લઇને કેન્દ્ર સરકારે ચુકાદો સુપ્રીમ કોર્ટ ઉપર છોડી દીધો છે.
કેન્દ્ર સરકારે આ સંદર્ભમાં કોઇ વલણ અપનાવ્યું નથી. કેન્દ્ર સરકારનું કહેવું છે કે, સુપ્રીમ કોર્ટ આ સંદર્ભમાં અંતિમ નિર્ણય કરી શકે છે. એડિશનલ સોલીસીટર જનરલ તુષાર મહેતા તરફથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા બુધવારે આ મામલાની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કલમ ૩૭૭ના સંદર્ભમાં કોઇપણ વલણ અપનાવ્યું ન હતું અને કહ્યું હતું કે, ૩૭૭ના સંબંધમાં સહમતિ સાથે પુખ્તવયના લોકોના સજાતિય સંબંધો અપરાધ છે કે કેમ તે અંગે કોર્ટ જ નિર્ણય કરી શકે છે. ૩૭૭ હેઠળ આ કોઇ અપરાધ છે કે કેમ તે અંગે સુપ્રીમ કોર્ટ નિર્ણય લઇ શકે છે. એડિશનલ સોલીસીટર જનરલ તુષાર મહેતાએ સરકાર તરફથી કહ્યું હતું કે, અમે ૩૭૭ની કાયદેસરતાના મામલાને સુપ્રીમ કોર્ટ ઉપર છોડી રહ્યા છીએ પરંતુ સુનાવણી માટેની હદ વધે છે કે સરકાર એફિડેવિટ દાખલ કરશે. ઇન્ડિયન પીનલ કોડ (આઈપીસી)ની કલમ ૩૭૭ની બંધારણીય કાયદેસરતાને પડકાર ફેંકતી અરજીઓ ઉપર ચીફ જસ્ટિસ દિપક મિશ્રા, જસ્ટિસ આરએફ નરિમન, જસ્ટિસ એએમ ખાનવીલકર, જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાની પાંચ જજની બેંચેે સુનાવણી હાથ ધરી હતી. કેન્દ્રએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, બે પુખ્તવયના લોકો વચ્ચે સહમતિ સાથે બનાવવામાં આવેલા સંબંધો સાથે જોડાયેલી કલમ ૩૭૭ની કાયદેસરતાના મુદ્દા ઉપર અમે કોર્ટના ઉપર નિર્ણય છોડી રહ્યા છીએ. બીજી બાજુ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, તે પોતે પણ આ બાબત પર વિચાર કરવા સુધી મર્યાદિત રહેશે કે કલમ ૩૭૭ બે પુખ્તવયના લોકો વચ્ચે સહમતિથી બનાવવામાં આવેલા સંબંધોને લઇને ગેરબંધારણીય છે કે કેમ. કલમ ૩૭૭ પર કેન્દ્ર સરકારે એફિડેવિટ મારફતે કોઇ પક્ષ ન મુકીને સમગ્ર નિર્ણય સુપ્રીમ કોર્ટ ઉપર છોડી દીધો હતો. એડિશનલ સોલીસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, ૩૭૭ હેઠળ સહમતિ સાથે પુખ્તવયના લોકો વચ્ચે સજાતીય સંબંધો અપરાધ છે કે કેમ તે અંગે પોતે નિર્ણય કરે. અરજી કરનારના વકીલ મેનકા ગુરુ સ્વામીએ કહ્યું હતું કે, કલમ ૩૭૭ એલજીબીપી સમુદાયના સમાનતાના અધિકારને ખતમ કરે છે. લેસ્બિયન, ગે, બાઇસેક્સયુલ અને ટ્રાન્સજેર સમુદાયના લોકોને કોર્ટ, બંધારણ અને દેશથી સુરક્ષા મળવી જોઇએ. તેમણે કહ્યું હતું કે, સજાતિય સમુદાયના લોકો પ્રતિભામાં ઓછા નથી અને આ સમુદાય સાથે જોડાયેલા લોકો આઈએએસ, આઈઆઈટી જેવી મુશ્કેલ પરીક્ષા પાસ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રના વકીલે કહ્યું હતું કે, સુનાવણી કલમ ૩૭૭ની બંધારણીયતા ઉપર જ મર્યાદિત રહેવી જોઇએ. ચર્ચનું પ્રતિનિધિત્વ કરનાર વકીલ મનોજ જ્યોર્જે કહ્યું હતું કે, સજાતિય સેક્સ સંબંધોને ગુના તરીકે ગણવામાં આવે. ત્યારબાદ અન્ય દલીલો પણ કરવામાં આવી હતી.

Related posts

નવી ચલણી નોટો જલદી ઓળખી શકાતી નથી : મુંબઈ હાઈકોર્ટ

aapnugujarat

મોદી અન્ય દેશમાં હોત તો રાજીનામું આપવું પડતઃ કપિલ સિબ્બલ

aapnugujarat

दिल्ली के लोगों पर ओजोन का जानलेवा खतरा मंडराया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1