બાબુલના ઘરેથી આનંદિત થઇને દુલ્હન સાસરે પહોંચી હતી. દુલ્હનના પરિવારજનોને તે વાતની શાંતિ હતી કે તેમની દીકરીને સારો પરિવાર મળ્યો છે અને તેમની દીકરી ત્યાં રાજ કરશે. પરંતુ દુલ્હનના પરિવારના આ સપનાઓ ચકનાચૂર થઈ ગયાં. લગ્નના પ્રથમ દિવસે એટલે કે સુહાગરાત્રે વરરાજાએ દુલ્હન સાથે કંઈક એવું કર્યુ કે પરિવારજનોને તેની ખબર પડી કે તેમના પગ નીચેથી જમીન નીકળી ગઈ.
દીકરીના પરિવારજનોએ એવો વિચાર પણ નહોતો કર્યો કે લગ્નની પ્રથમ રાત્રિ બાદ તેમની દીકરી તેમને આવી સ્થિતિમાં મળશે. ખરેખર, દુલ્હનના પરિવારજનોએ વરરાજા પર આરોપ લગાવ્યો કે તેણે શેતાનિયતની બધી સીમાઓનું ઉલ્લંઘન કરી નાખ્યું. જણાવાઈ રહ્યું છે કે વરરાજાએ બર્બરતાની બધી સીમાઓનું ઉલ્લંઘન કરી નાખીને દુલ્હનના પ્રાઈવેટ પાર્ટમાં આર્યનની લાકડી નાખી હતી. ત્યારબાદ દુલ્હન બેહોશ થઇ ગઇ. નવવિવાહિતાને ગંભીર સ્થિતિમાં ગાજિયાબાદ સ્થિત મોહનનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ મુજબ, પીડિતા નિવાડી થાનાક્ષેત્રના એક ગામની નિવાસી છે તેવું જણાવાઈ રહ્યું છે. ૮ જુલાઈના રોજ તેના લગ્ન થયા હતાં. પીડિતાના લગ્ન બાગપતના સિંઘાવલી અહીર થાનાક્ષેત્રમાં થયા હતાં. પીડિતાનો પતિ બાગપતમાં શિક્ષક છે.
પોતાની દીકરીને આવી સ્થિતિમાં જોઈ પીડિતાના પરિવારજનોએ પતિ, સસરા અને સાસુ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી. જોકે, હજી સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી.