બોલિવુડની ખુબસુરત સ્ટાર અભિનેત્રી વાણી કપુરને હવે એક મોટી ફિલ્મ હાથ લાગી ગઇ છે. પ્રાપ્ત અહેવાલ મુજબ તે શમશેરા નામની ફિલ્મમાં રણબીર કપુર સાથે નજરે પડનાર છે. વાણી કપુરે કહ્યુ છે કે પાવર હાઉસ ઓફ ટેલેન્ટ એટલે કે રણબીર કપુર સાથે કામ કરવાની બાબત તેના માટે મોટી સિદ્ધી સમાન છે. વાણી કપુરે કહ્યુ છે કે એક કલાકાર તરીકે રણબીર કપુર બોલિવુડમાં સૌથી કુશળ સ્ટાર પૈકી એક છે. તેનુ કહેવુ છે કે રણબીર એવા કલાકારો પૈકી છે જેની ફિલ્મો તે શરૂઆતથી જોતી રહી છે. વાણી કપુરે કહ્યુ છે કે આ પ્રશંસાની વાત છે કે કરણ જોહરે તેને ફિલ્મમાં રોલ કરવાની ઓફર કરી છે. શમશેરા એક ડ્રીમ પ્રોજેક્ટ છે. ફિલ્મ શમશેરાનુ શુટિંગ હવે વર્ષ ૨૦૧૮ના અંતમાં શરૂ થશે અને વર્ષ ૨૦૧૯ સુધી ફિલ્મના શુટિંગને પૂર્ણ કરી લેવામાં આવ્યા બાદ ફિલ્મ રજૂ કરાશે. એક્શનથી ભરપુર આ ફિલ્મનુ નિર્દેશન કરણ મલહોત્રા કરનાર છે. સંજય દત્તની લાઇફ પર બનેલી ફિલસ્મ સંજુ હવે રજૂ થવા જઇ રહી છે. આ ફિલ્મમાં રણબીર કપુરે સંજય દત્તની યાદગાર ભૂમિકા અદા કરી છે. તાજેતરમા ંજ ફિલ્મ મામલે ટ્રેલર જારી કરવામાં આવ્યા બાદ લોકોમાં ઉત્સુકતા વધી ગઇ છે. જેને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. ફિલ્મમાં રણબીર કપુરની સાથે અનુષ્કા શર્મા, સોનમ કપુર, પરેશ રાવલ, મનીષા કોઇરાલા, દિયા મિર્જા, બોમન ઇરાની, જીમ સરબ, વિકી કોશલ પણ ભૂમિકા અદા કરી રહ્યા છે. આ પિલ્મ ૨૯મી જુનના દિવસે રજૂ કરવામાં આવી રહી છે. ફિલ્મ રાજુ હિરાની, નિર્માતા નિર્દેશક વિદુ વિનોદ ચોપડાની જોડી દ્વારા તૈયાર કરવામાં આવી છે.
આગળની પોસ્ટ