પદ્માવત ફિલ્મ બનાવ્યા બાદ લોકપ્રિય નિર્માતા નિર્દેશક સંજય લીલા હવે નવી ફિલ્મ પર કામ કરવા લાગી ગયા છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન અને દિપિકાને લેવામાં આવી શકે છે. ફિલ્મના અન્ય કલાકારો સંપૂર્ણ પણે સક્રિય દેખાઇ રહ્યા છે. જો કે અન્યોના નામની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. દિપિકાને સંજય લીલા તમામ ફિલ્મોમાં લેતા આવ્યા છે. હવે અભિષેક મોટા રોલમાં નજરે પડનાર છે. પ્રાપ્ત માહિતી મુજબ નવી ફિલ્મમાં હવે દિપિકા અને અભિષેક બચ્ચનને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ફિલ્મ જાણીતી કવિયત્રી અમૃતા પ્રીતમ પર બનાવવામાં આવનાર છે. એમ માનવામાં આવે છે કે આ ફિલ્મમાં લીડ રોલમાં અભિષેક બચ્ચન નજરે પડી શકે છે. અભિષેક ફિલ્મમાં સાહિર લુધિયાનવીના રોલમાં નજરે પડનાર છે. ફિલ્મમાં સાહિર અને અમૃતા પ્રીતમની પ્રેમ કથાને દર્શાવવામાં આવનાર છે. આ ફિલ્મને લઇને કામ હવે હાથ ધરવામાં આવ્યુ છે. જો કે સંજય લીલા દ્વારા કોઇ વાત કરવામાં આવી નથી. સાહિરને લઇને તેમની શોધ પહેલાથ જ શરૂ કરી દેવામાં આવી છે. અભિષેકના પિતા અને મેગા સ્ટાર અમિતાભ બચ્ચન સાહિરની સાથે કભી કભી અને ત્રિશુલ ફિલ્મમાં કામ કરી ચુક્યા છે. આના કારણે અભિષેકને રોલ કરવામાં મદદ મળશે. આ પહેલા સંજય દ્વારા રોલ માટે શાહરૂખ ખાન સાથે વાત કરી હતી. જો કે શાહરૂખખાનના નામ પર સહમતિ થઇ ન હતી. શાહરૂખને ફિલ્મની પટકથા પસંદ પડી હતી. જો કે વાત આગળ વધી ન હતી. આખરે નવા કલાકારોના નામ પર વિચારણા હાથ ધરવામાં આવી હતી. હવે અભિષેકની પસંદગી કરવામાં આવી છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ