Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કર્ણાટકમાં સુરક્ષાની વચ્ચે આવતીકાલે મતદાન

અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા અને અનેક પ્રકારની અપેક્ષા વચ્ચે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. આના માટે તમામ તૈયારી કરી લેવામાં આવી છે. કોઇ પણ અનિચ્છનીય બનાવને ટાળવા માટે પણ તમામ પગલા લેવામાં આવ્યા છે. કર્ણાટક ચૂંટણીમાં ૨૧૦ મહિલા ઉમેદવાર સહિત કુલ ૨૬૫૫ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ વખતે ૨૪૩૬ પુરૂષ ઉમેદવારો તેમના ભાગ્ય અજમાવી રહ્યા છે. વર્ષ ૨૦૧૩માં ૨૭૮૮ પુરૂષ ઉમેદવારો મેદાનમાં હતા.
વર્ષ ૨૦૧૩ની તુલનામાં આ વખતે ૩૫૨ ઉમેદવારો ઓછા છે. આ વર્ષે ચૂંટણી મેદાનમાં રહેલી મહિલા ઉમેદવારોની સંખ્યા ૨૧૯ છે જે વર્ષ ૨૦૧૩માં ૧૭૦ હતી.
છેલ્લી ચૂંટણીમાં મહિલા ઉમેદવારોની સંખ્યા ૪૯ વધારે છે. આ વર્ષે બિનમાન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષોના ઉમેદવારોની સંખ્યા ૮૦૦ જેટલી નોંધાઇ છે જે વર્ષ ૨૦૧૩માં ૮૩૨ હતી. વર્ષ ૨૦૧૮માં ૧૧૫૫ અપક્ષ ઉમેદવારો તેમના ભાગ્ય અજમાવી રહ્યા છે જે સંખ્યા વર્ષ ૨૦૧૩માં ૧૨૨૩ જેટલી હતી. કુલ ૨૨૪ વિધાનસભા સીટ પૈકી ૨૨૩ સીટ માટે મતદાન આવતીકાલે યોજાનાર છે. એક સીટ પર મતદાન મોકુફ કરવામાં આવ્યુ છે. કારણ કે જયનગરના ભાજપના ઉમેદવાર બીએન વિજય કુમારનુ નિધન થયુ હતુ. કર્ણાટકમાં તમામ ઉમેદવારોના ભાવિનો ફેસલો કરવા માટે ચાર કરોડ ૯૬ લાખ મતદારો ઉત્સુક છે. હાઇ વોલ્ટેજ અને હાઇ પ્રોફાઇલ ચૂંટણી માટે ઝંઝાવતી પ્રચાર કરવામાં આવ્યા બાદ હવે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાની રીતે ગણતરી કરવામાં આવી રહી છે. એકબાજુ ભાજપ પ્રમુખ અમિત શાહે દાવો કર્યો છે કે તે એકલા હાથ ૧૩૦ સીટ જીતી જશે. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી પણ આશાવાદી છે. આંકડા દર્શાવે છે કે કર્ણાટક ચૂંટણીમાં ૩૯૧ ઉમેદવારોની સામે અપરાધિક કેસ રહેલા છે. ભાજપના ઉમેદવારોની સામે સૌથી વધારે કેસ છે. ભાજપના ૨૨૪ ઉમેદવારો પૈકીના ૮૩ ઉમેદવારો અથવા તો ૩૭ ટકા ઉમેદવારો કેટલાક અપરાધિક કેસમાં સંડોવાયેલા રહ્યા છે. ભાજપ બાદ બીજા સ્થાન પર કોંગ્રેસ પાર્ટી છે. કોંગ્રેસે ૨૨૦ ઉમેદવારો પૈકી ૫૯ એવા નેતાઓને ટિકિટ આપી છે જેમની સામે અપરાધિક કેસ રહેલા છે. કોંગ્રેસના ૫૯ ઉમેદવારોની સામે અપરાધિક કેસ રહેલા છે. બીજી બાજુ જેડીએસના ૧૯૯ પૈકી ૪૧ સામે અપરાધિક કેસ નોંધાયેલા છે. ચૂંટણી સાથે જોડાયેલા આંકડા દર્શાવે છે કે વર્ષ ૨૦૧૩માં વિધાનસભાની ચૂંટણીની તુલનામાં વર્ષ ૨૦૧૮માં અપરાધિક મામલામાં ફસાયેલા ઉમેદવારોની સંખ્યા ૩૩૪થી વધીને ૩૯૧ થઇ ગઇ છે. એડીઆર દ્વારા કરવામાં આવેલા મુલ્યાંકનની બાબત ઉમેદવારો દ્વારા દાખલ કરવામાં આવેલી એફિડેવિટ પર આધારિત છે. જેમાં ૨૫૬૦ ઉમેદવારો પૈકી ૩૯૧ ઉમેદવારોની સામે અપરાધિક કેસ રહેલા છે.
ગંભીર મામલાનો સામનો કરતા ઉમેદવારોની સંખ્યા વર્ષ ૨૦૧૩માં ૧૯૫ હતી જે આ વખતે ૨૫૪ થઇ ગઇ છે. ચાર ઉમેદવારોની સામે હત્યાના કેસ રહેલા છે. કર્ણાટકની ગરમી હાલ રહેલી છે.કોંગ્રેસના ૩૨ એટલે કે ૧૫ ટકા તથા જેડીએસના ૨૯ અથવા તો ૧૫ ટકા ઉમેદવારો ગંભીર અપરાધિક મામલાઓનો સામનો કરી રહ્યા છે. ગંભીર મામલાઓનો સામનો કરી રહેલા ઉમેદવારોની સંખ્યા પણ ૨૦૧૩માં ૧૯૫ હતી જે વધીને હવે ૨૫૪ થઇ ગઇ છે. ચાર ઉમેદવારની સામે હત્યાના કેસ રહેલા છે. ૨૫ ઉમેદવારની સામે હત્યાના પ્રયાસના કેસ રહેલા છે.
૨૩ ઉમેદવાર મહિલાઓની સામે અપરાધમાં ફસાયેલા છે.કર્ણાટક ચૂંટણીને લઇને તમામ મતદારો પણ ભારે ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. ૨૨૪ સીટોવાળી કર્ણાટક વિધાનસભા માટે હવે ૧૨મી મેના દિવસે મતદાન થશે. કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર બનાવી શકશે કે પછી ભાજપ સરકાર બનાવશે તે અંગે ૧૫મી મેના દિવસે ફેંસલો થશે. ૨૨૪ સીટમાંથી સરકાર બનાવવા ૧૧૩ સીટોની જરૂર છે. કોંગ્રેસ પાસે હાલમાં ૧૨૨ સીટો છે. ભાજપ પાસે ૪૩ અને જેડીએસ પાસે ૩૭ સીટો છે. કર્ણાટક વિધાનસભાની અવધિ મે ૨૦૧૮માં પૂર્ણ થઇ રહી છે.કર્ણાટકમાં ૪ કરોડ ૯૬ લાખ વોટરો છે. ૯૭ ટકા લોકોને ફોટો ઓળખપત્ર જારી કરવામાં આવ્યા છે. ચૂંટણીમાં ૫૬ હજાર મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. તમામ પોલિંગ સ્ટેશન પર ઇવીએમની સાથે વીવીપેટનો ઉપયોગ કરાશે. પ્રચારના છેલ્લા દિવસે તમામ ટોપ નેતાઓ પ્રચારના વ્યસ્ત રહ્યા હતા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીનો સમાવેશ થાય છે. આ ઉપરાત ભાજપ પ્રમુખ અમિત શાહ પણ પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. અમિત શાહે દાવો કર્યો હતો કે ભાજપ એકલા હાથે ૧૩૦ સીટ જીતી જશે અને તેને કોઇના સમર્થનની જરૂર પડશે નહી.

Related posts

भारत को 2021 में मिल जाएगी कोरोना की वैक्सीन: हर्षवर्धन

editor

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કોરોના વેક્સિન લીધી

editor

અરૂણ જેટલી મોનસૂન સત્રમાં ગેરહાજર હશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1