Aapnu Gujarat
ગુજરાત

ભાજપ યુવા મોરચા દ્વારા ૧૧મીએ શોર્ય દિવસ નિમિત્તે કાર્યક્રમ

૧૧મી મે શૌર્ય દિવસ નિમિત્તે અટલ ઈરાદે ભાજપા યુવા મોરચા દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. અન્ને એ ઉલ્લેખનીય છે કે, પૂર્વ પ્રધાનમંત્રી શ્રધ્ધેય અટલ બિહારી બાજપાઈની દ્રઢ ઈચ્છાશક્તિના કારણે અટલ બિહારીના નેતૃત્વવાળી એનડીએની કેન્દ્ર સરકારે પોખરણ ખાતે પરમાણુ પરિક્ષણ કરીને ભારતની તાકાત દુનિયા સમક્ષ બતાવી હતી તેને ૧૧મી મે ૨૦ વર્ષ પૂર્ણ થાય છે. શૌર્ય દિવસની ઉજવણી પ્રસંગે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી કર્ણાવતી મહાનગર ખાતે અને યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડા.ઋત્વિજ પટેલ અમદાવાદ જીલ્લા ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. શૌર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે સમક્ષ રાજ્યમાં યુવા મોરચા દ્વારા જીલ્લાસઃ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. દેશની શૌર્યગાથાથી યુવાનોને માહિતગાર કરવામાં આવશે, યુવાનોમાં રાષ્ટ્રભાવનાનો સંચાર થાય તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. મહાપુરુષોની પ્રતિમાને ફૂલહાર કરી તેમને શ્રધ્ધાસુમન કરવામાં આવશે.

Related posts

હિંમતનગર ખાતે હર્ષોલ્લાસથી મોહરમની ઉજવણી કરાઈ

aapnugujarat

શહીદ દિન નિમિત્તે વિસનગરમા યોજાયો રક્તદાન કેમ્પ

editor

શેરડી પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર, ગત્ત વર્ષ કરતા ઓછા ભાવ મળશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1