જેની ઉત્સુકતાપૂર્વક વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હતા તે ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાના ભાગરુપે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવતીકાલે ૧૦મી મેના દિવસે જાહેર કરવામાં આવશે. ૧૨ વિજ્ઞાન પ્રવાહની સાથે ગુજકેટનું પરિણામ પણ જાહેર કરવામાં આવનાર છે. આ જ પ્રકારે ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહમાં ૫૬ ઝોનના ૧૪૦ કેન્દ્રોમાં ૧૪૦ શાળા બિલ્ડીંગમાં ૬૮૮૦ બ્લોકમાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. ધોરણ ૧૨નું પરિણામ જાહેર થયા બાદ માર્કશીટ, પ્રમાણપત્ર તથા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટની માર્કશીટનું વિતરણ જિલ્લા વિતરણ સ્થળ પર સવારે ૧૧ વાગ્યાથી ચાર વાગ્યા સુધી કરવામાં આવશે. રાજ્યની વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યને આ અંગે પહેલાથી જ જાણ કરી દેવામાં આવી છે. પોતાની શાળાની માર્કશીટ પ્રમાણપત્ર રજૂ કરીને મેળવી લેવાની રહેશે. ગુજરાત બોર્ડ સિવાયના અન્ય ઉમેદવારોની ગુજકેટની માર્કશીટ ટપાલ દ્વારા મોકલવામાં આવશે. વિજ્ઞાન પ્રવાહ તથા ગુજકેટનું પરિણામ પરિણામ ૧૦મી મેના દિવસે જાહેર કરવામાં આવનાર છે. સવારે ૯ વાગે બોર્ડની વેબસાઇટ ઉપર મુકી દેવામાં આવશે. શિક્ષણ વિભાગ અને ગુજરાત બોર્ડના સુત્રોનું કહેવું છે કે, સામાન્ય પ્રવાહનું પરિણામ પણ ૧૫થી ૨૦મી મેની વચ્ચે જાહેર થઇ શકે છે. ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષાનું પરિણામ ૨૮થી ૩૧મી મેની વચ્ચે જાહેર થવાની શક્યતા છે. જો કે, ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષા અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. વિજ્ઞાન પ્રવાહના પરિણામની તારીખ જાહેર કરવામાં આવી ચુકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બોર્ડની પરીક્ષા ૧૨મી માર્ચથી શરૂ થઇ હતી. ૧૨મી માર્ચથી શરૂ થયેલી ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓમાં કુલ મળી ૧૭,૧૪,૯૭૯ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં ધોરણ-૧૦ના કુલ ૧૧,૦૩,૬૭૪ વિદ્યાર્થીઓ, ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહના ૧૩,૦૪,૬૭૧ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના ૪,૭૬,૬૩૪ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ધોરણ-૧૦ની પરીક્ષા માટે ૭૯ ઝોનના કુલ ૯૦૮ કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા હતા, જેમાં ૩૩૬૧ શાળા સંકુલમાં કુલ ૩૭,૭૦૦ બ્લોક નક્કી કરવામાં આવ્યા હતા, જયાં વિદ્યાર્થીઓએ પોતાની બેઠક વ્યવસ્થા મુજબ પરીક્ષા આપી હતી. આ જ પ્રકારે ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહમાં ૫૬ ઝોનના ૧૪૦ કેન્દ્રોમાં ૧૪૦ શાળા બિલ્ડીંગમાં ૬૮૮૦ બ્લોકમાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. આવી જ રીતે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં પણ ૫૬ ઝોનમાં ૫૦૦ કેન્દ્રો ખાતે ૧૫૨૫ બિલ્ડીંગમાં ૧૫,૭૫૭ બ્લોકમાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. અત્રે નોંધનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી માર્ચ મહિનામાં ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. હજુ સુધી પરિણામને લઇને અટકળોનો દોર ચાલી રહ્યો હતો. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૧૦મી મેના દિવસે જાહેર કરવામાં આવનાર છે ત્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ પણ ટૂંકમાં જ જાહેર કરવામાં આવી શકે છે. બીજી બાજુધોરણ ૧૦ બોર્ડની પરીક્ષાનું પરિણામ પણ મે મહિનામાં જ જાહેર થવાની શક્યતા છે. મોટાભાગની ઉત્તરવહીઓની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે.