આજરોજ મહેસાણાનાં વતની અને યુએસએમાં સ્થાયી થયેલાં ઓવરસીઝ ફ્રેન્ડસ ઓફ બીજેપીનાં સ્થાપક શ્રી સુરેશભાઈ જાનીનું દુઃખદ અવસાન થયેલ હતું, જેમનો આજરોજ અગ્નિસંસ્કાર ન્ચુજર્સી ખાતે કરવામાં આવેલ છે. આ પ્રસંગે અમેરિકાનાં ટોચનાં ઉદ્યોગપતિઓ, ડૉક્ટરો, વકીલો, સામાજિક આગેવાનો તેમનાં પાર્થિવ દેહનાં દર્શન કરી શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો શોકસંદેશ ઉપસ્થિત લોકોને વાંચી સંભળાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધંધુકાનાં પૂર્વ સાંસદ રતિલાલ વર્માએ પણ શ્રધ્ધાંજલિ આપી હતી.
પાછલી પોસ્ટ