Aapnu Gujarat
ગુજરાત

મારી સુરક્ષા વ્યવસ્થા નહીં હોય તો હુમલાની આશંકાઃ હાર્દિક પટેલ

પાસના કન્વીનર હાર્દિક પટેલની મુશ્કેલીઓ વધી શકે છે. કેન્દ્રના ગૃહ વિભાગ દ્વારા હાર્દિકને ફાળવાયેલી સુરક્ષા વ્યવસ્થા પર પુનઃ વિચારણા થઇ રહી છે અને વાય કેટેગરીની સુરક્ષા પરત ખેંચવાની તૈયારી કરાઇ છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જોરશોરથી ભાજપ વિરોધી પ્રચાર કરતા હાર્દિકની સુરક્ષાને ખતરો જોતા ૮ સુરક્ષાકર્મીઓ ફાળવવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ કેન્દ્રના ઇન્ટેલિજન્સ બ્યુરોના રિપોર્ટ પ્રમાણે હાર્દિકના જીવને હવે જોખમ નથી.આ અંગે હાર્દિકે જણાવ્યું હતું કે, હાલ મારી સાથે સુરક્ષાકર્મીઓ છે પરંતુ સુરક્ષા વ્યવસ્થા પરત ખેંચી લેવાશે તેવી મને માહિતી મળી છે.પોતાની જાન પર ખતરો હોવાની પણ આશંકા વ્યક્ત કરતા હાર્દિકે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે વાય કેટેગરીની સુરક્ષા આ રીતે પરત ખેંચવામાં આવતી નથી અને જો પરત ખેંચાય તો પણ બે સુરક્ષાકર્મી સાથે રહેતા હોય છે. આ સંજોગોમાં જો સરકાર અચાનક આવો નિર્ણય કરે તો મારી પર હુમલો કે હત્યા થવાની દહેશત નકારી શકાતી નથી.

Related posts

इंटरनेशनल बुद्धिस्ट कॉन्फ्रेंस गुजरात में १७ से २३ सितंबर के बीच : कॉन्फ्रेंस में भाग लेने पहुंचे बुद्धिस्ट संतों- मोन्क्स के साथ मुख्यमंत्री की मुलाकात  

aapnugujarat

जलधारा वोटर पार्क के कॉन्ट्राक्टर पर सत्ताधिकारी मेहरबान दिखे

aapnugujarat

સુરતમાં પતિએ પત્નીની ગળુ કાપી ક્રુર હત્યા કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1