કાળિયાર કેસમાં જોધપુરની સેેશન્સ કોર્ટે સલમાન ખાનને જામીન આપી દીધાં છે. સલમાને ૫૦ હજારનાં બોન્ડ ભર્યા છે. જામીન મળ્યાંના સમાચાર આવતાં જ બિશ્નોઈ સમાજમાં નારાજગીનું મોજું ફેલાઈ ગયું છે. બિશ્નોઈ સમાજનાં આગેવાનો ચુકાદાને હાઈકોર્ટમાં પડકારશે. જામીન મળ્યાં બાદ સલમાનનાં વકીલ મહેશ બોડાએ કહ્યું હતું કે, અમને ન્યાય મળ્યો છે અને વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સલમાન ખાને હંમેશા કોર્ટનાં આદેશનું પાલન કર્યું છે અને જ્યારે જ્યારે કોર્ટે સલમાનને હાજર રહેવા કહ્યું છે ત્યારે તેઓ હાજર રહ્યાં છે.
પાછલી પોસ્ટ