Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

લોન સસ્તી થશે કે કેમ તે અંગે આજે ફેંસલો કરાશે

આરબીઆઈની છ સભ્યોની નાણાંકીય પોલિસી સમીક્ષાની મિટિંગ (એમપીસી) આજે વિધીવતરીતે શરૂ થઇ હતી. પ્રથમ દિવસે અર્થતંત્રના જુદા જુદા પાસા પર વિચારણા કરવામાં આવી હતી. વ્યાજદર ઘટશે કે કેમ તે અંગે નિર્ણય ગુરૂવારના દિવસે લેવામાં આવનાર છે. પોલિસી સમીક્ષાની મિટિંગ વર્ષ ૨૦૧૮-૧૯ માટે તેની પ્રથમ દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા છે. આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં ફેરફાર કરવાના સંદર્ભમાં કોઇ નિર્ણય લેવામાં આવી શકે છે. જો કે, મોટાભાગના અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે, આરબીઆઈ દ્વારા આ સપ્તાહમાં વ્યાજદર યથાવત રાખવામાં આવશે. સ્થાનિક ફુગાવાને ધ્યાનમાં લઇને આરબીઆઈ વ્યાજદરોને યથાવત રાખી શકે છે. બજેટ બાદ આ પ્રથમ નાણાંકીય નીતિ સમીક્ષા બેઠક મળી છે. આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં આ બેઠક શરૂ થઇ છે. જેમાં ચોથીએ બેઠક શરૂ થયા બાદ પાંચમી એપ્રિલના દિવસે નિર્ણય લેવામાં આવનાર છે. રિટેલ ફુગાવામાં ઘટાડાના અનુસંધાનમાં વ્યાજદરમાં કાપ મુકવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઉપર દબાણ આવી રહ્યું છે. જો કે, આરબીઆઈ હાલમાં વ્યાજદરને યથાવત રાખવા ઇચ્છુક છે. ગયા મહિનામાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૮માં વધુ બે વખત વધારો થવાનું ચિત્ર પણ રહેલું છે. આરબીઆઈ દ્વારા કોઇપણ નિર્ણય લેતા પહેલા ક્રૂડની કિંમતમાં થઇ રહેલા વધારાને પણ ધ્યાનમાં લેવામાં આવશે. ક્રૂડની કિંમત હાલમાં પ્રતિબેરલ ૭૦ ડોલર સુધી પહોંચી ગઈ છે. બેંક ઓફ અમેરિકા મેરિલીન્ચનું કહેવું છે કે, વ્યાજદરમાં હાલ યથાવ સ્થિતિ રહેશે. જો કે, ઓગસ્ટ મહિનાની પોલિસી સમીક્ષામાં રેટમાં ઘટાડો કરવામાં આવી શકે છે. જો મોનસુન યથાવત રહેશે તો વ્યાજદરમાં કાપ મુકવામાં આવી શકે છે. ઇન્ડસ્ટ્રી ચેમ્બર પણ માને છે કે, રિઝર્વ બેંક દ્વારા હાલમાં યથાસ્થિતિ રાખવામાં આવશે. કારણ કે સરકારે બજેટમાં તેમની પેદાશો બદલ લઘુત્તમ સમર્થન મૂલ્ય ખેડૂતોને ૧.૫ ગણુ આપવા ઇચ્છુક છે. બીજી બાજુ રેપોરેટ હાલમાં છ ટકા છે. રિવર્સ રેપોરેટ ૫.૭૫ ટકા, એમએસએફ અને બેંક રેટ ૬.૨૫ ટકા છે. કોટક મહિન્દ્રા બેંકના અધિકારીઓનું કહેવું છે કે, ફુગાવો જ્યારે ૨૦૧૮-૧૯ દરમિયાન ૪.૫ ટકાની આસપાસ છે ત્યારે વ્યાજદર યથાવત રહેશે. આના પરિણામેલોન સસ્તી થશે તેવી અપેક્ષા કરનારને ફટકો પડી શકે. આરબીઆઈની પોલિસી સમીક્ષા બજારની દિશા નક્કી કરશે.

Related posts

જેટ એરવેઝ : નરેશ ગોયલે બોર્ડમાંથી રાજીનામું આપ્યું

aapnugujarat

ઇઝરાયેલમાં મોદી માટે ભવ્ય કોમ્યુનિટી ઇવેન્ટની તૈયારીઓ

aapnugujarat

અમે મહાત્મા ગાંધીના દેશને જિયા ઉલ હકનું પાકિસ્તાન બનવા દેવા માંગતા નથી : મહેબુબા મુફ્તી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1