Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

મંદીનો દોર જારી : સેંસેક્સમાં ૧૫૦ પોઇન્ટનો ઘટાડો

શેરબજારમાં આજે મંદીનો દોર યથાવતરીતે જારી રહ્યો હતો. ફાઈનાન્સિયલ શેરોમાં મંદી યથાવત રહી હતી. યુરિયા માટે સરકારી સબસિડી ચાલુ રાખવામાં આવ્યા બાદ ખાતરોના શેરમાં ઉછાળો નોંધાયો હતો. બીએસઈ સેંસેક્સ આજે ૧૫૦ પોઇન્ટ ઘટીને ૩૩૬૮૬ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૫૧ પોઇનટ ઘટીને ૧૦૩૬૦ની નીચી સપાટીએ રહ્યો હતો. વૈશ્વિક સ્તર પર શેરબજારમાં અફડાતફડીનો દોર રહ્યો હતો. આજે દિવસ દરમિયાન અનેક શેરમાં તેજી અને કેટલાક શેરમાં અફડાતફડીનો દોર રહ્યો હતો. ગઇકાલે બુધવારના દિવસે કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૨૧ પોઇન્ટ ઘટીને ૩૩૮૩૬ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૬ પોઇન્ટ ઘટીને ૧૦૪૧૧ની સપાટીએ રહ્યો હતો. આરબીઆઈએ મંગળવારના દિવસે બેંકોને લેટર્સઓફ અંડરટેકિંગના સ્વરુપમાં ગેરન્ટી જારી કરવાથી અટકાવવાનો આદેશ જારી કર્યો હતો. સોમવારના દિવસે રિટેલ ફુગાવો અથવા તો કન્ઝ્‌યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ ઉપર આધારિત ફુગાવાના આંકડા જારી કરવામાં આવ્યા હતા. રિટેલ ફુગાવો ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. રિટેલ ફુગાવો ૪.૪૪ ટકાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. હોલસેલ આધારિત ફુગાવાનો આંકડો ગઇકાલે બુધવારના દિવસે જારી કરવામાં આવ્યો હતો જે ફેબ્રુઆરી મહિનામાં ૨.૪૮ ટકા રહ્યો છે. હોલસેલ ઇંડા, માંસ અને ફિશના ફુગાવામાં ઘટાડો થયો છે. આ ફુગાવો ૦.૩૭ ટકાની સામે માઇનસ ૦.૨૨ ટકા રહ્યો છે. સતત ત્રીજા મહિને ફુગાવામાં ઘટાડો થયો છે. ડબલ્યુપીઆઈ આધારિત ફુગાવો જાન્યુઆરી મહિનામાં ૨.૮૪ ટકાની છ મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો.ડબલ્યુપીઆઈ ફુગાવો ખાદ્યાન્ન ચીજવસ્તુઓના ભાવ નીચા રહેવાથી ૨.૮૪ ટકા રહ્યો હતો જે છ મહિનાની નીચી સપાટી છે. સરકારી હિન્દુસ્તાન એરોનોટિક્સનો ૪૨૦૦ કરોડ રૂપિયાનો આઈપીઓ આવતીકાલે ૧૬મી માર્ચના દિવસે ખુલ્યા બાદ ૨૦મી માર્ચના દિવસે બંધ થશે. અન્ય કંપની કાર્ડા કન્સ્ટ્રક્શન દ્વારા ૧૬મી માર્ચના દિવસે આઈપીઓ લાવનાર છે. આ કંપની ૭૭.૪૦કરોડ રૂપિયા ઉભા કરવાની યોજના ધરાવે છે. આનો મતલબ એ થયો કે, આ સપ્તાહમાં એક પછી એક આઈપીઓ બજારમાં આવનાર છે જેથી કારોબારીઓની નજર નવા આઈપીઓમાં નાણા રોકવા ઉપર કેન્દ્રિત રહેશે. હાલમાં જારી કરાયેલા આંકડામાં વર્ષ ૨૦૧૭-૧૮ના ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ રેટ ૭.૨ ટકા રહ્યો હતો. વર્ષ ૨૦૧૭-૧૮ના બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી દર ૬.૫ ટકા રહ્યો હતો. આ ત્રિમાસિક ગાળામાં સ્થાનિક અને અન્ય વૈશ્વિક કારણોસર દેશનો જીડીપી ગ્રોથ રેટ ઓછો રહેવાનો અંદાજ હતો. જીડીપી જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામાં ૬.૩ ટકા સુધી રહ્યો હતો. એપ્રિલ-જૂનના ત્રિમાસિક ગાળામાં ૫.૭ ટકાની ત્રણ વર્ષની નીચી સપાટીએ રહ્યા બાદ જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામા તેમાં ઉછાળો નોંધાયો હતો. તે પહેલા ૭.૫ ટકાનો આંકડો રહ્યો હતો. સાતમી ફેબ્રુઆરીના દિવસે દેશની સર્વોચ્ચ બેંક આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ અને નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ,બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવા નિર્ણય કર્યો હતો.

Related posts

નરેન્દ્ર મોદી ભારતીયોની જાસુસી કરાવવા ઇચ્છુક : રાહુલ

aapnugujarat

અખિલેશ યાદવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર કટાક્ષ કર્યો

aapnugujarat

અહેમદ પટેલની જીત છતાં અમિત શાહનું મિશન જારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1