બોલિવુડના લોકપ્રિય અભિનેતા સેફ અલી ખાનની પુત્રી સારા અલી ખાનની પ્રથમ ફિલ્મ કેદારનાથ હવે વર્ષ ૨૦૧૮માં રજૂ કરવામાં આવનાર નથી. તેની રજૂઆતને લઇને કેટલાક પ્રશ્નો સપાટી પર આવ્યા છે. આના કારણે ફિલ્મને હવે ૨૦૧૯માં રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મના નિર્માતા અને નિર્દેશક વચ્ચે ખેંચતાણ હોવાના હેવાલ મળ્યા છે. તેમની વચ્ચે ખેંચતાણના કારણે ફિલ્મ આ વર્ષે પણ રજૂ થશે કે કેમ તેને લઇને ચાલી રહેલી ચર્ચાનો અંત આવ્યો છે. હવે આ ફિલ્મને વર્ષ ૨૦૧૯માં રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફિલ્મમાં સારા ખાનની સાથે સુશાંત સિંહ રાજપુત નજરે પડનાર છે. સુશાંત આશાસ્પદ સ્ટાર તરીકે રહ્યો છે. તેની પાસે પણ સારી ફિલ્મો આવી રહી છે. મુળભૂત રીતે આ ફિલ્મને ૨૧મી ડિસેમ્બરના દિવસે રજુ કરવામાં આવનાર હતી પરંતુ હવે ફિલ્મની રજૂઆતને ટાળી દેવામાં આવી છે. મતભેદોને દુર કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ફિલ્મને હવે વર્ષ ૨૦૧૯ના પ્રથમ અથવા તો બીજા મહિનામાં રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મની ઉત્સુકતા છે. કારણકે તે સેફ અલી ખાનની પુત્રી સારા ખાનની ફિલ્મ છે. આ ફિલ્મ મારફતે તે બોલિવુડમાં એન્ટ્રી કરી રહી છે. ફિલ્મના શુટિંગને ચાર મહિનામાં પૂર્ણ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. ફિલ્મ લવ સ્ટોરી ફિલ્મ છે. સહ નિર્માતા ભુષણ કુમારે કહ્યુ છે કે તેમની ફિલ્મ નક્કી કરવામાં આવેલી તારીખે હવે રજૂ કરવામાં આવી રહી નથી. ફિલ્મને ટાળવા માટેના કારણો ભુષણ કુમારે આપ્યા નથી. જો કે સારા ખાન અને સુશાંત રાજપુત ચોક્કસપણે ફિલ્મની રજૂઆત વહેલી તકે થાય તેમ ઇચ્છે છે. ફિલ્મ ૬૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે.
પાછલી પોસ્ટ