Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ઉતારચઢાવની વચ્ચે સેંસેક્સ ૬૧ પોઇન્ટ ઘટીને બંધ થયો

શેરબજારમાં આજે ઉતારચઢાવની સ્થિતિ રહ્યા બાદ અંતે ફ્લેટ સ્થિતિ રહી હતી. આઈઆઈપીના શેરમાં તીવ્ર ઘટાડો થવાના લીધે અંતે સેંસેક્સ ઘટીને બંધ રહ્યો હતો. આજે કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૩૩૮૫૭ની નીચી સપાટીએ રહ્યો હતો તેમાં ૬૧ પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. આવી જ રીતે બ્રોડર નિફ્ટી પાંચ પોઇન્ટ ઘટીને ૧૦૪૨૭ની નીચી સપાટીએ રહ્યો હતો. આઈટીના શેરમાં આજે જોરદાર ઘટાડો રહ્યો હતો. તાતા સન્સ કંપનીમાં તેની હિસ્સેદારી વેચનાર છે તેવા અહેવાલ આવ્યા બાદ તીવ્ર કડાકો બોલી ગયો હતો. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ૨.૩ ટકાનો ઉછાળો રહ્યો હતો. પંજાબ નેશનલ બેંકના શેરમાં ત્રણ ટકા અને આંધ્ર બેંકના શેરમાં ૧૧ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ગઇકાલે સોમવારના દિવસે રિટેલ ફુગાવો અથવા તો કન્ઝ્‌યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ ઉપર આધારિત ફુગાવો ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો છે. રિટેલ ફુગાવો ૪.૪૪ ટકાની નીચી સપાટીએ પહોંચી ગયો છે. મોંઘવારીમાં ઘટાડો થતાં મધ્યવર્ગને પણ રાહત થઇ છે. ફેબ્રુઆરી મહિનામાં ૪.૪૦ ટકાનો ફુગાવો નોંધાયો છે. હવે ફેબ્રુઆરી ૨૦૧૮ માટે ડબલ્યુપીઆઈનો આંકડો બુધવારના દિવસે જારી કરવામાં આવનાર છે. ડબલ્યુપીઆઈ આધારિત ફુગાવો જાન્યુઆરી મહિનામાં ૨.૮૪ ટકાની છ મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો.ડબલ્યુપીઆઈ ફુગાવો ખાદ્યાન્ન ચીજવસ્તુઓના ભાવ નીચા રહેવાથી ૨.૮૪ ટકા રહ્યો હતો જે છ મહિનાની નીચી સપાટી છે. કોલકાતા સ્થિત બંધન બેંક દ્વારા પણ ૪૪૭૩ કરોડ રૂપિયા ઉભા કરવાના હેતુસર ઇશ્યુ લોંચ કરવામાં આવનાર છે. બંધન બેંક દ્વારા પ્રતિ ઇક્વિટી શેર ૩૭૦થી ૩૭૫ રૂપિયાની પ્રાઇઝ બેંડ નક્કી કરવામાં આવી છે. ફેસ વેલ્યુ ૧૦ રૂપિયા રહેશે. ૧૧.૯૨ કરોડ શેરનું કુલ કદ રહેનાર છે. આ ઉપરાંત સરકારી હિન્દુસ્તાન એરોનોટિક્સનો ૪૨૦૦ કરોડ રૂપિયાનો આઈપીઓ ૧૬મી માર્ચના દિવસે ખુલ્યા બાદ ૨૦મી માર્ચના દિવસે બંધ થશે. અન્ય કંપની કાર્ડા કન્સ્ટ્રક્શન દ્વારા ૧૬મી માર્ચના દિવસે આઈપીઓ લાવનાર છે. આ કંપની ૭૭.૪૦કરોડ રૂપિયા ઉભા કરવાની યોજના ધરાવે છે. આનો મતલબ એ થયો કે, આ સપ્તાહમાં એક પછી એક આઈપીઓ બજારમાં આવનાર છે જેથી કારોબારીઓની નજર નવા આઈપીઓમાં નાણા રોકવા ઉપર કેન્દ્રિત રહેશે. હાલમાં જારી કરાયેલા આંકડામાં વર્ષ ૨૦૧૭-૧૮ના ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ રેટ ૭.૨ ટકા રહ્યો હતો. વર્ષ ૨૦૧૭-૧૮ના બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી દર ૬.૫ ટકા રહ્યો હતો. આ ત્રિમાસિક ગાળામાં સ્થાનિક અને અન્ય વૈશ્વિક કારણોસર દેશનો જીડીપી ગ્રોથ રેટ ઓછો રહેવાનો અંદાજ હતો. જીડીપી જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામાં ૬.૩ ટકા સુધી રહ્યો હતો. એપ્રિલ-જૂનના ત્રિમાસિક ગાળામાં ૫.૭ ટકાની ત્રણ વર્ષની નીચી સપાટીએ રહ્યા બાદ જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામા તેમાં ઉછાળો નોંધાયો હતો. તે પહેલા ૭.૫ ટકાનો આંકડો રહ્યો હતો. સાતમી ફેબ્રુઆરીના દિવસે દેશની સર્વોચ્ચ બેંક આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ અને નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ,બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. સોમવારે બીએસઈ સેંસેક્સ ૬૧૧ પોઇન્ટ ઉછળીને ૩૩૯૧૮ની સપાટીે પહોંચી ગયો હતો. નિફ્ટી ૧૯૫ પોઇન્ટ ઉછળીને ૧૦૪૨૧ની સપાટીએ રહ્યો હતો.

Related posts

કોઇપણ પાર્ટી પાસે બહુમતિ હવે નથી : ઓમર અબ્દુલ્લા

aapnugujarat

ઇ-કોમર્સ કંપની પરેશાન થઇ ગઇ : ૫ કરોડ લોકો આઉટ

aapnugujarat

पूर्व वित्त मंत्री अरुण जेटली की हालात खराब एम्स में भर्ती, प्रधानमंत्री सहित तमाम नेता पहुंचे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1