Aapnu Gujarat
Uncategorized

આઈએનએક્સ કેસ સંદર્ભે કાર્તિને વધુ ૧૨ દિવસ જેલમાં રહેવું પડશે

આઈએનએક્સ મની લોન્ડરિંગ કેસમાં હાલમાં સીબીઆઈની કસ્ટડીમાં રહેલા અને વ્યાપક તપાસનો સામનો કરી રહેલા કાર્તિ ચિદમ્બરમને કોઇપણ રાહત મળી નથી. કાર્તિ ચિદમ્બરમને ૧૨ દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે જેથી હાલમાં કાર્તિને કાયદાકીય તકલીફોનો સામનો કરવો પડશે. કાર્તિને હાલમાં જેલમાં જ રહેવું પડશે. ૨૪મી માર્ચ સુધી ખાસ દિલ્હી કોર્ટે કાર્તિને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ કર્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની ૨૮મી ફેબ્રુઆરીના દિવસે ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈ દ્વારા તેમની ધરપકડ કરવાાં આવ્યા બાદથી તે કસ્ટડીમાં છે. આજે તપાસ સંસ્થાએ ૧૫ દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીની માંગ કરી હતી અને એવો દાવો કર્યો હતો કે, કાર્તિ પુછપરછ દરમિયાન બિલકુલ સહકાર કરી રહ્યા નથી. પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ પરના સમગ્ર ગાળા દરમિયાન કાર્તિ ચિદમ્બરમ બિલકુલ સહકાર આપી રહ્યા નથી. પ્રશ્નોના જવાબ પણ આપી રહ્યા નથી જેથી સીબીઆઈ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. સીબીઆઈએ કોર્ટમાં કહ્યું હતું કે, આરોપી તરફથી સહકાર વગર પણ આ કેસમાં તપાસ કરવામાં આવી રહી છે. સીબીઆઈએ કોર્ટમાં કહ્યું હતું કે, પ્રવર્તમાન સંજોગો હેઠળ જ્યારે બાબતો વધુ જટિલ બની ગઈ છે ત્યારે આ ગંભીર આર્થિક ગુનાના મામલામાં કાર્તિ ચિદમ્બરમને કસ્ટડીમાં રાખવાની જરૂર છે. ૧૫ દિવસની કસ્ટડીની માંગ કરવામાં આવી હતી જેની સામે ૧૨ દિવસની કસ્ટડી મંજુર કરવામાં આવી છે. આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં રિમાન્ડ ઉપર રાખવામાં આવશે. મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં સીબીઆઈ દ્વારા તેમની પુછપરછ ચાલી રહી છે. પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમ સામે પણ તપાસ પહોંચે તેવી શક્યતા દેખાઈ રહી છે. આઈએનએક્સ મિડિયામાં રોકાણ મંજુરીનો મામલો એ વખતે સપાટી ઉપર આવ્યો હતો તેમના પિતા ચિદમ્બરમ નાણામંત્રી તરીકે હતા. કંપનીમાં એ વખતે પીટર અને ઇન્દ્રાણી મુખર્જીની માલિકી હતી. આ દંપત્તિ હાલમાં હત્યાના કેસમાં જેલમાં છે. ઇન્દ્રાણીની પુછપરછ બાદ જ સીબીઆઈએ કાર્તિની ધરપકડ કરી હતી. બીજી બાજુ કાર્તિનો આક્ષેપ છે કે, રાજકીય દ્વેષભાવ રાખીને સીબીઆઇ દ્વારા તેમની સામે તપાસ કરવામાં આવી રહી છે. સીબીઆઈ કેન્દ્ર સરકારના ઇશારે કામ કરી રહી છે. તેમના પિતા ચિદમ્બરમની પ્રતિષ્ઠા ખરડવાના પ્રયાસ થઇ રહ્યા છે. ઇન્દ્રાણી અને તેના પતિ પીટરે આક્ષેપ કર્યો છે કે, તેઓએ તેમના પિતા તરફથી ત્રણ કરોડ રૂપિયાની લાંચ કાર્તિને ચુકવી હતી. ચિદમ્બરમ એ વખતે નાણામંત્રી તરીકે હતા. સાથે સાથે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડના વડા પણ હતા. આ બોર્ડ વિદેશી ફંડ મેળવવા કંપનીઓને મંજુરી આપવા માટે નોડલ એજન્સી તરીકે કામ કરી રહી હતી.

Related posts

ગુજરાતના એકમાત્ર “સ્વચ્છ આઇકોનિક પ્લેસ” સોમનાથ મંદિરને સ્વચ્છતા અંગેનો એવોર્ડ એનાયત

aapnugujarat

युवराज ने विदेशी लीगों में खेलने के अनुभव को किया याद

editor

સોમનાથ મંદિર ૨૦૦૦ LEDથી ઝળહળી ઊઠશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1