Aapnu Gujarat
મનોરંજન

દિશા વાકાણી ટુંક સમયમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને કરશે અલવિદા

સબ ટીવીનો પોપ્યુલર શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનની ભુમિકા ભજવતી અભિનેત્રી દિશા વાકાણી ટૂંક સમયમાં શૉને અલવિદા કહી દેશે. એક અહેવાલ અનુસાર ગર્ભાવસ્થા દરમિયાન દિશા શૉ છોડી દેશે તેવા અહેવાલો મળ્યાં હતા. પરંતુ તે પછી શૉના નિર્માતાઓએ માર્ચમાં અભિનેત્રીની શૉમાં વાપસી અંગે જણાવ્યું હતું.મિડિયા રિપોટ્‌ર્સ અનુસાર દિશા મેટરનિટી લીવના કારણે ઘમાં સમયથી શૉ માંથી ગાયબ છે.  તેણે ગત વર્ષે સપ્ટેમ્બરમાં શૉ માટે છેલ્લી વખત શૂટ કર્યુ હતું. હાલ દિશા પોતાના લગ્નજીવનમાં વ્યસ્ત છે. તે પોતાની બાળકીને સમય આપવા માંગે છે. તેવામાં દિશા શૉમાં પરત ફરે તેવી શક્યતા ઓછી છે. ઉલ્લેખનીય છે કે દિશાએ વર્ષ ૨૦૧૫માં મુંબઇના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયૂર પંડ્યા સાથે લગ્ન કર્યા હતાં. ગત વર્ષે નવેમ્બરમાં તેણે બાળકીને જન્મ આપ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે શૉના મેકર્સ એક નવા ચહેરાની તલાશમાં છે.જણાવી દઇએ કે આ સુપરહિટ શોમાં જેઠાલાલની પત્ની દયાબેનની ભુમિકા દિશા નિભાવે છે. પોતાના અનોખા અંદાજના કારણે તેને આ શૉમાં ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. શૉમાં તદેની ડાલોગ ડિલિવરીનો અંદાજ હટકે છે. આ ઉપરાંત તેણે ‘જોધા-અકબર’, ‘દેવદાસ’ અને’ મંગલ પાંડે’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

Related posts

વિરાટ અને અનુષ્કા આવ્યા બિહાર અને આસામમાં પૂર પીડિતોની મદદે, લોકોને કરી આ અપીલ

editor

રિતિક ‘સુપર ૩૦’ બાદ વધુ વ્યસ્ત હશે

aapnugujarat

રણબીર કપૂરે ફીમાં વધારો કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1