Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લોકસભા પેટા ચૂંટણીમાં ઓછું મતદાન થતાં ચિંતાઃ ગોરખપુર ૪૭.૪૫, ફુલપુરમાં ૩૭.૩૯ ટકા મતદાન

ઉત્તરપ્રદેશ અને બિહારમાં પેટાચૂંટણી માટે આજે શાંતિપૂર્ણ માહોલમાં ઓછું મતદાન થયુ હતુ. ગોરખપુરમાં ૪૭.૪૫ ટકા અને ફુલપુરમાં ૩૭.૩૯ ટકા જેટલું ઓછું મતદાન થયું હતું. ૧૨ ટકા ઓછું મતદાન રહેતા ભારે સસ્પેન્સની સ્થિતિ પ્રવર્તી રહી છે. બીજી બાજુ ભાજપમાં ઓછા મતદાનને લઇને ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ૨૦૧૪માં ભાજપે બંને સીટો ઉપર મોટા અંતરથી જીત મેળવી હતી. ૨૦૧૪ લોકસભાની ચૂંટણીમાં ફુલપુરમાં ૫૦.૨૦ ટકા અને ગોરખપુરમાં ૫૪.૬૪ ટકા મતદાન થયું હતું. આજે મતદાનની સાથે જ તમામ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. બિહારમાં અરરિયા લોકસભા સીટ અને ભભુઆ તેમજ જેહાનાબાદ વિધાનસભાની તેમજ ઉત્તરપ્રદેશમાં ફુલપુર, ગોરખપુર લોકસભા બેઠક માટે મતદાન યોજાયુ હતુ. બપોરના ગાળા સુધી જ ઉંચુ મતદાન થઇ ગયુ હતુ. ગોરખપુરમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પ્રથમ મત આપ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યુ હતુ કે પ્રદેશની પ્રજા સૌદાબાજીના ગઠબંધનને નકારી ચુકી છે. જનતા સુશાસન અને વિકાસના નામે મત આપીને ભાજપને પ્રચંડ જીત અપાવી રહી છે. વિકાસ અને સુશાસન માટે ભાજપ સત્તા પર રહે તે જરૂરી છે.અગાઉ સવારે ઉત્તરપ્રદેશની ફુલપુર અને ગૌરખપુરની લોકસભા સીટની પેટાચૂંટણી માટે મતદાન સવારે ભારે ઉત્સાહ અને અપેક્ષા વચ્ચે શરૂ થયુ હતુ. તમામ મતદાન કેન્દ્રો પર સવારથી જ લાંબી લાઇનો લાગી હતી. કેટલીક જગ્યાએ સવારમાં ઓછા મતદારો દેખાયા બાદ બપોરના ગાળામાં લાંબી લાઇન જોવા મળી હતી. આ પેટાચૂંટણીને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ માટે અગ્નિ કસૌટી તરીકે પણ ગણવામાં આવે છે. બીજી બાજુ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી નવા પ્રયોગ સાથે આ પેટાચૂંટણીમાં ઉતર્યા છે જેથી અહીંના પરિણામ તેમના માટે પણ ઉપયોગી રહેશે.ગઇકાલે શનિવારના દિવસે જ મતદાનને લઈને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મજબૂત ગણાતા ગઢ ફુલપુર અને ગોરખપુરમાં આ પેટાચૂંટણી યોજાઇ છે. માયાવતીના નેતૃત્વમાં બહુજન સમાજ પાર્ટીએ ભાજપ સામે ટક્કર લેવા સમાજવાદી પાર્ટીને ટેકો આપ્યો છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીએ એકલા હાથે મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યા બાદ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.મતદાનને લઇને અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા બંને જગ્યાએ ગોઠવી દેવામાં આવી હતી. કેન્દ્રિય અર્ધલશ્કરી દળના ૬૫૦૦ જવાનો ગોઠવવામાં આવ્યા હતા. શાંતિપૂર્ણ મતદાનની ખાતરી કરવા તમામ પગલા લેવામાં આવ્યા હતા. હાલમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જોરદાર સપાટો બોલાવ્યો હતો. આજે મતદાન થયા બાદ ગોરખપુરમાંથી ૧૦ અને ફુલપુરમાંથી ૨૨ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. ભાજપે ફુલપુરમાંથી કૌશલેન્દ્રસિંહ પટેલ અને ગોરખપુરમાંથી ઉપેન્દ્ર દત્ત શુકલાને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે સમાજવાદી પાર્ટીએ પ્રવિણ નીસાદ અને નગેન્દ્ર પ્રતાપસિંહને મેદાનમાં ઉતાર્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર ગોરખપુરમાંથી સુરીતા કરીમ રહ્યા છે. પાર્ટીએ સમાજવાદી પાર્ટી સાથે છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં હાથ મિલાવ્યા હતા. કોંગ્રેસે ફુલપુરમાંથી મનિષ મિશ્રાને મેદાનમાં ઉતાર્યા છે. ચૂંટણી પંચના અધિકારીઓએ કહ્યુ હતુ કે ગોરખપુર સંસદીય બેઠકમાં ૯૭૦ મતદાન સેન્ટરો ઉભા કરવામાં આવ્યા હતા.૨૧૪૧ મતદાન મથકો પર મતદારો મોટી સંખ્યામાં મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા. ફુલપુરમાં ૯૯૩ પોલીંગ સેન્ટરો અને ૨૦૫૯ મતદાન મથકો બનાવવામાં આવ્યા હતા. ચૂંટણી પંચ મુજબ ફુલપુર સંસદીય મતવિસ્તારમાં ૧૯૬૧ લાખ મતદારો અને ગોરખપુરમાં ૧૯.૪૯ લાખ મતદારો નોંધાયા હતા. જે પૈકી મોટા ભાગના મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ાજે બહાર નિકળ્યા હતા. પેટાચૂંટણીમાં આજે ૪૭૨૮ વીવીપેટ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૯૫ ક્રિટીકલ બુથ પરથી વેબકાસ્ટિગ માટે તમામ પગલા લેવામાં આવ્યા હતા. સવારે સાત વાગ્યા મતદાનની પ્રક્રિયા શરૂ થયા બાદ સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન ચાલ્યુ હતુ. ં
(અનુસંધાન નીચેના પાને)

Related posts

લોકસભા ચુંટણી : ત્રીજા ચરણના પ્રચારનો અંત

aapnugujarat

આતંકવાદીઓએ સ્થાનિક કાશ્મીરી યુવકની કરપીણ હત્યા કરી

aapnugujarat

असम, पूर्वोत्तर के सर्वांगीण विकास को पूर्ण समर्थन देने का पीएम ने दिया भरोसा : सोनोवाल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1