ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં સરકાર ૫૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ આગામી બે વર્ષના ગાળામાં કરનાર છે. લિક્વિડીટીની સમસ્યાને હળવી કરવા અને અનાજ પ્રાપ્તિ સાથે સંબંધિત ઓપરેશનને વધુ અસરકારક બનાવવાના હેતુસર ૫૦૦૦ કરોડ રૂપિયા એફસીઆઈમાં ફાળવવામાં આવનાર છે. અનાજના વિતરણ અને પ્રાપ્તિ માટે સરકારની નોડલ એજન્સી એફસીઆઈ સરકારી બોન્ડ મારફતે ૩૨૦૦૦ કરોડ રૂપિયા ઉભા કરવાની યોજના ધરાવે છે. જાહેર વિતરણ અંગેની સંસદીય સ્થાયી સમિતિએ એફસીઆઈ કેપિટલને નવા રંગરુપમાં રજુ કરવા માટે બજેટ દરખાસ્ત રજૂ કરી હતી. નાણામંત્રાલયે નિર્ણય કર્યો છે કે, એફસીઆઈમાં અનાજ જાળવવાની ક્ષમતાને વધારવામાં આવશે. એફસીઆઈ સંસદના સ્પેશિયલ એક્ટ હેઠળ સ્થાપિત કરવામાં આવી હતી જે કંપની એક્ટ હેઠળ કામ કરતી નથી. કોર્પોરેશનના નાણા ઇક્વિટીના સ્વરુપમાં રહે છે. શેરમાં વિભાજિત કરવામાં આવતા નથી. એફસીઆઈની મુખ્ય જવાબદારી અનાજના વેચાણ, સ્ટોરેજ, એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા અને ખરીદી સાથે સંબંધિત છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા રેટ ઉપર એફસીઆઈ અનાજ ખરીદે છે.
પાછલી પોસ્ટ