બેંકોમાં છેતરપિંડીના મામલાથી પરેશાન ભારતીય રિઝર્વ બેંકે સરકારી બેંકોના વિશેષ ઓડિટની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ ઓડિટમાં મુખ્ય ધ્યાન ટ્રેડ ફાયનાન્સિંગ અને બેંકો દ્વારા જારી કરવામાં આવતા ગેરંટીપત્રો ઉપર આપવામાં આવી રહ્યું છે. સુત્રોનું કહેવું છે કે, આરબીઆઈએ તમામ બેંકોને તેમના દ્વારા જારી કરવામાં આવી રહેલા એલઓયુની માહિતી આપી છે જેમાં બાકી રકમની માહિતી માંગવામાં આવી છે. આરબીઆઈએ એમ પણ કહ્યું છે કે, બેંકોની પાસે લોન મર્યાદાને લઇને ફરિયાદો આવી રહી છે. ગેરંટીપત્ર જારી કરતા પહેલા તેમની પાસે પુરતા પ્રમાણમાં રોકડ માર્જિન છે કે કેમ તેને પણ ધ્યાનમાં લેવાશે.
આગળની પોસ્ટ