Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સંસદ સત્રનો બીજો તબક્કો શરૂ થયો : પ્રથમ દિવસ જ હોબાળો

સંસદના બજેટ સત્રના બીજા તબક્કાની આજે ધાંધલ ધમાલ સાથે શરૂઆત થઇ હતી. પ્રથમ દિવસે ધાંધલ ધમાલના કારણે કોઇ કામ થઇ શક્યું ન હતું. લોકસભાની કાર્યવાહી દિવસભર માટે મોકૂફ કરવામાં આવી હતી. પીએનબી ફ્રોડ અને નિરવ મોદીના મુદ્દા ઉપર રાજ્યસભામાં પણ ધાંધલ ધમાલ થઇ હતી. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને કાર્યવાહી પહેલા બપોર સુધી મોકૂફ કરવાની ફરજ પડી હતી. સત્રના પ્રથમ દિવસે જ હોબાળો થયો હતો. આંધ્રપ્રદેશને ખાસ દરજ્જો આપવાનો મુદ્દો પણ છવાયેલો રહ્યો હતો. આને લઇને પણ ધાંધલ ધમાલ થઇ હતી. સ્થિતિ યથાવત રહેતા લોકસભાની કાર્યવાહી દિવસભર માટે મોકૂફ કરાઈ હતી. લોકસભામાં પીએનબી ફ્રોડ કેસ પર ચર્ચા માટે આરજેડીના સાંસદ જેપી યાદવે સ્થગન પ્રસ્તાવ લાવવાની માંગ કરી હતી. સમાજવાદી પાર્ટીના સાંસદ નરેશ અગ્રવાલે રાજ્યસભામાં આ મામલે સ્થગન પ્રસ્તાવ મામલે નોટિસ આપી હતી. આજે સવારે નરેન્દ્ર મોદી અને ભાજપ વડા અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ તેમનું સ્વાગત કર્યું હતું. પૂર્વોત્તર રાજ્યોમાં ભાજપના શાનદાર દેખાવને લઇને બંનેનું સ્વાગત કરાયું હતું. ત્રિપલ તલાક બિલને મુદ્દા પર પણ ખેંચતાણ રહેવાના સંકેત છે. આ બિલમાં તરત છુટાછેડાના કેસમાં મુસ્લિમ પતિને જેલની સજાની જોગવાઇ કરવામાં આવી છે. ભાજપે સાફ શબ્દોમાં કહ્યુ છે કે કોંગ્રેસ અને ડાબેરીઓ તરફથી જોરદાર વિરોધ કરવામાં આવ્યો હોવા છતાં સંસદમાં ત્રિપલ તલાક બિલ પસાર કરવા માટે સરકાર ઇચ્છુક છે. ઓબીસી કમીશન માટે બંધારણીય દરજ્જા સાથે સંબંધિત બિલ સરકારના એજન્ડામાં સામેલ છે. સંસદમાં કેન્દ્રિય બજેટ પર ચર્ચા પણ કરવામાં આવનાર છે. સત્રના પ્રથમ હિસ્સામાં બજેટ રજૂ કરવામાં આવ્યુ હતુ. સંસદના બજેટ સત્રના પ્રથમ તબક્કાની શરૂઆત ૨૯મી જાન્યુઆરીના દિવસે થઇ હતી. નાણામંત્રી અરુણ જેટલી પહેલી ફેબ્રુઆરીના સામાન્ય બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની સાથે રેલવે બજેટ પણ રજૂ કરવામાં આવ્યુ હતુ. બજેટ સત્ર રિશેસ સાથે બે તબક્કામાં છે. સેશનનો પ્રથમ હિસ્સો નવમી ફેબ્રુઆરી સુધી ચાલ્યો હતો. સંસદ સત્રનો બીજો તબક્કો આજે શરૂ થયા બાદ છઠ્ઠી એપ્રિલ સુધી ચાલશે.સંસદના બન્ને ગૃહો બજેટ સત્રમાં એક મહિના સુધી રિશેષ રહ્યા બાદ ફરી મળી રહ્યા છે. સરકારના એજન્ડામાં ત્રિપલ તલાક બિલ પણ છે. પંજાબ નેશનલ બેંકની સાથે ૧૨૭૦૦ કરોડ રૂપિયા અથવા તો ૧૨૭ અબજ રૂપિયાની છેતરપિડીં કરનાર હીરા કારોબારી નીરવ મોદી અને અન્ય આરોપી ફરાર થઇ ગયા બાદ સરકાર દ્વારા ફગેટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ બિલને સરકારે મંજુર કર્યુ હતુ. એકબાજુ વિરોધ પક્ષ કોંગ્રેસ સહિતના પક્ષોએ આ ફ્રોડ માટે સરકાર પર દોષારોપણ કર્યા છે. નરેન્દ્ર મોદી પર કોંગ્રેસે પ્રહારો કર્યા છે. આજથી શરૂ થયેલા સંસદના સત્ર દરમિયાન ભાજપ અને કોંગ્રેસ આમને સામને રહે તેવી શક્યતા છે. અનેક મુદ્દા સત્ર દરમિયાન છવાયેલા રહે તેવી શક્યતા છે. દેશના સૌથી મોટા બેકિંગ કોંભાડ પંજાબ નેશનલ બેંક કોંભાડ જોરદાર ગરમી જગાવે તેવી શક્યતા છે. આ ઉપરાંત હિરા કારોબારી નીરવ મોદી અને તેમના મામા મેહુલ ચોકસી મામલે સરકારને ભીંસમાં લેવા કોંગ્રેસ પ્રયાસ કરી શકે છે.

Related posts

ईडी ने बॉम्बे हाईकोर्ट में कहा- मेहुल चोकसी भगोड़ा और फरार है, उसकी याचिकाएं रद्द हों

aapnugujarat

केजरीवाल सरकार का बड़ा फैसला : दिल्ली में मास्क न पहनने पर लगेगा 2,000 का जुर्माना

editor

जम्मू-कश्मीर में भूकंप के झटके

editor

Leave a Comment

UA-96247877-1