વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન સુરેશ પ્રભુએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સરકાર બન્યા બાદ છેલ્લા ૪ વર્ષમાં દેશના શેર બજારમાં સંચયી રૂપથી વાર્ષિક ૧૩ ટકાનો વધારો થયો છે. ભારત-કોરિયા વેપાર સંમેલનના ઉદ્ઘાટન સત્રની આગેવાની કરી રહેલા વડાપ્રધાનની ઉપસ્થિતિમાં પ્રભુએ આ વાત કરી હતી.તેમણે કહ્યું, વડાપ્રધાનની આગેવાનીમાં સરકાર બન્યા બાદ શેર બજારમાં છેલ્લા ૪ વર્ષમાં સંચયી રૂપથી ૧૩ ટકાનો વધારો થયો છે. શેર બજારોએ રોકાણકારોને ૧૩ ટકા સંચયી રિટર્ન આપ્યું. ભારતમાં રોકાણ કરવાનો આ વેપારી અર્થ દર્શાવે છે. ઉદ્યોગ મંડળ સીઆઈઆઈ દ્વારા આયોજીત વેપાર સંમેલનને સંબોધિત કરતાં પ્રભુએ કહ્યું કે, વડાપ્રધાનના ભારતમાં વિશેષ રીતે કોરિયાથી અને રોકાણ આકર્ષિત કરવાના દ્રષ્ટિકોણને હકીકતના સ્વરૂપમાં ફેરવવા માટે જે પણ સમસ્યાઓ છે તેને દૂર કરવામાં આવશે.