ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીનના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીનો એક વીડિયો તાજેતરમાં પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક કાર્યક્રમમાં તેમણે બાબરી મસ્જિદ અંગે તેમના વિચારો રજૂ કર્યા હતા.તેમણે કહ્યું હતું કે જો બાબરી મસ્જિદ હાથમાંથી ગઈ તો પછી તેઓ બીજી એક-બે હજાર મસ્જિદોનો વિવાદ ઉકેલવાની માગણી કરશે અને આ મસ્જિદને કાઢી નાખો પેલી મસ્જિદને કાઢી નાખો તેવી માગણી કરશે. આમ એક પછી એક નવા વિવાદ ઊભા કરતા રહેશે, હવે તે લોકો તાજમહાલ શિવમંદિર એટલે કે તેજોમંદિર હોવાનો દાવો કરે છે.ભાજપના પૂર્વ સાંસદ વિનય કટિયારે તાજમહાલને શિવમંદિર એટલે કે તેજોમંદિર ગણાવવાના મુદ્દે આવૈસીએ કટાક્ષમાં કહ્યું હતું કે, ‘તાજમહાલ તેજોમંદિર થા, આપકે અબ્બાને બનાયા થા, મુઝે માલૂમ થા.’ આ પછી કોઈ બોલ્યું કે તેઓ દેશમાંથી ૧૭ કરોડ મુસલમાનોને બહાર કાઢી મૂકવા માગે છે. કટિયારે આક્ષેપ કર્યો હતો કે તેજોમંદિરને મોગલ બાદશાહ શાહજહાંએ મકબરામાં ફેરવી દીધું હતું. તાજમહાલ એક હિંદુ મંદિર હતું.