મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના રાજીનામાના કારણે ગોરખપુર અને ફૂલપુર લોકસભા બેઠક પર પેટાચૂંટણી માટે તારીખોની જાહેરાત થઈ ગઈ છે. ગોરખપુર અને ફૂલપુરમાં ૧૧ માર્ચના મતદાન યોજાશે અને ૧૪ માર્ચના મતગણતરી કરવામાં આવશે.યોગી આદિત્યનાથના મુખ્યમંત્રી અને કેશવ પ્રસાદ મૌર્યના ઉપ મુખ્યમંત્રી બન્યા બાદ તેમના રાજીનામાના કારણે આ બેઠકો ખાલી થઈ હતી.
બંને ખાલી બેઠકો પર ૧૬ માર્ચ સુધીમાં મતદાન કરાવવાનું હતું. ચૂંટણી પંચે શુક્રવારે પેટાચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી દીધી છે. ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરતા કહ્યું પેટાચૂંટણીમાં નામાંકન માટે છેલ્લી તારીખ ૨૦ ફેબ્રુઆરી છે. ૨૩ ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવાર પોતાનુ નામ પાછુ ખેંચી શકે છે. ચૂંટણી પંચે કહ્યું ગોરખપુર અને ફૂલપુર સહિત બિહારની એક લોકસભા અને ચાર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી ઈવીએમથી થશે અને વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે.