Aapnu Gujarat
મનોરંજન

આલિયા ભટ્ટ અને રણબીર કપુર વચ્ચે નજીકના સંબંધો

બોલિવુડમાં કોની સાથે કોણ ક્યારેય પ્રેમમાં પડી જાય તે અંગે કોઇ કહી શકે તેમ નથી. નવેસરનો મામલો આલિયા ભટ્ટ અને રણબીર કપુરનો છે. આ અંગેનો ખુલાસો જાણીતા ડિઝાઇનર મનીષ મલહોત્રા દ્વારા કરવામાં આવ્યો છે. હકીકતમાં નેહા ધુપિયાના એક ચેટ શોમાં સોનાક્ષી સિંહા અને ડિઝાઇનર મનીષ મલહોત્રા ગેસ્ટ બનીને પહોંચ્યા હતા. અહીં નેહાં ધુપિયાએ સોનાક્ષીને કેટલાક પ્રશ્નો કર્યા હતા. સાથે સાથે મનીષને પણ પ્રશ્નો કર્યા હતા. બોલિવુડમાં કયુ કપલ હાલમાં રિલેશનશીપમાં છે અને તે સ્વીકાર કરવાથી ખચકાટ અનુવ કરે છે તે અંગે પુછવામાં આવતા સોનાક્ષીએ દીપિકા અને રણવીર સિંહનુ નામ આપ્યુ હતુ. ત્યારબાદ નેહાએ પ્રશ્ન કર્યો હતો કે વર્ષ ૨૦૧૮માં કઇ જોડી બનશે તેના જવાબમાં સોનાક્ષીએ મનીષની તરફ જોઇને ઇશારો કર્યો હતો. ત્યારબાદ મનીષે આલિયા અને રણબીર કપુરનુ નામ આપ્યુ હતુ. એટલુ જ નહી જ્યારે નેહાએ પ્રશ્ન કર્યો કે કઇજોડી વર્ષ ૨૦૧૮માં તુટી જશે તેવા પ્રશ્નના જવાબમાં સોનાક્ષીએ આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલહોત્રાનુ નામ આપ્યુ હતુ. આના પર સોનાક્ષીને નેહાએ યાદ અપાવતા કહ્યુ હતુ કે આલિયા અને સિદ્ધાર્થ રિલેશનશીપમાં છે. આના જવાબમાં બન્નેએ કહ્યુ હુ કે હવે આ સંબંધ તુટી જવાના આરે છે. અત્રે નોંધનીય છે કે હાલના દિવસોમાં રણબીર અને આલિયા બ્રાહાસ્ત્ર ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે. જેનુ નિર્દેશન અયાન મુખર્જી કરી રહ્યા છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ કામ કરી રહ્યા છે. ફિલ્મને ખુબ મોટા બજેટ સાથે તૈયાર કરવામાં આવી રહી છે. આલિયા અને રણબીર વચ્ચે સંબંધોને લઇને છેલ્લા કેટલાક દિવસથી ચર્ચા ચાલી રહી છે. ડિઝાઇનર મનીષના ધડાકાથી ખળભળાટ મચી ગયો છે. રણબીર સૌથી લોકપ્રિય સ્ટાર તરીકે છે.

Related posts

હોટ ઇશા ગુપ્તા ફેશન અને ફિટનેસ અંગે સાવધાન

aapnugujarat

ચશ્મે બદ્દુરની સિક્વલમાં ફાતિમા સના શેખ દેખાશે

aapnugujarat

ઇશા ગુપ્તાના પિતાનો સવાલ : ‘તું લેસ્બિયન તો નથી ને..?!!’

aapnugujarat

Leave a Comment

UA-96247877-1