નાણાં પ્રધાન અરૂણ જેટલી દ્વારા આજે આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યુ હતુ. જેમાં નાણાંકીય ખાદ્ય ત્રણ ટકા સુધી રહેવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. સાથે સાથે અન્ય કેટલીક ઉપયોગી વાત પણ કરવામાં આવી છે. વર્તમાન નાણાંકીય વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ વસુલાતના ટાર્ગેટને હાંસલ કરવા માટેની પણ આશા છે. નાણાંકીય વર્ષ ૨૦૧૯માં નાણાંકીય નુકસાનના લક્ષ્યાંકમાં નજીવો વધારો થઇ રહ્યો છે. નાણાંકીય નુકસાન માટે લક્ષ્ય ત્રણ ટકા રહેવાનો અંદાજ છે. જીએસટી વસુલાતમાં સુધારો થવાનો અંદાજ છે અને રેવેન્યુમાં વધારો થવાનો અંદાજ છે. આર્થિક સર્વે ૨૦૧૮માં આર્થિક સલાહકારોની તરફથી સલાહ આપવામાં આવી છે કે મધ્યમ અવધિમાં રોજગાર, શિક્ષણ અને કૃષિ પર ભાર મુકવામાં આવનાર છે.વ્યક્તિગત આવકવેરા વસુલાતમાં વધારો થઇ રહ્યો છે.રોજગાર સહિતના જુદા જુદા ક્ષેત્રમાં કેટલાક મુદ્દા પર વિસ્તારપૂર્વક વાત કરાઇ છે.