Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

રેલવેને ટ્રેક પર મુકવા માટે જંગી મૂડીરોકાણની તૈયારી

પહેલી ફેબ્રુઆરીના દિવસે સામાન્ય બજેટની સાથે સાથે રેલવે બજેટ પણ રજૂ કરવામાં આવનાર છે. ટ્રેક ઉપર રેલવેને મુકવા માટે ૩૫.૩ ટ્રિલિયન રૂપિયાની યોજના તૈયાર કરી લેવામાં આવી છે.કેપેક્ષમાં ૯૨ ટકા વાર્ષિક વધારો દર્શાવવામાં આવી રહ્યો છે. ભારતીય રેલવે મંત્રાલય માટે મૂડી ખર્ચને ૨૦૩૨ સુધી સતત વધારવા માંગે છે. રેલવેના આધુનિકીકરણ કેપેસિટી ક્ષમતા ઉપર વધારે ખર્ચ કરવામાં આવશે. સરેરાશ વાર્ષિક રોકાણને પણ વધારવામાં આવનાર છે. ૨૦૧૭-૧૮માં આને ૧.૩૧ ટ્રિલિયનથી વધારીને ૨.૫ ટ્રિલિયન સુધી લઇ જવામાં આવશે. લાંબા ગાળાના રોકાણમાં વિઝન ૨૦૩૦ની આધુનિકીકરણ યોજના અને ૫.૫૬ ટ્રિલિયન રૂપિયાના રોકાણ ટાર્ગેટનો સમાવેશ થાય છે. પૂર્વ રેલવે મંત્રી સુરેશ પ્રભુએ ૨૦૧૪-૧૫માં રોકાણ ટાર્ગેટની શરૂઆત કરી હતી. કેપેસિટીને વધારવા અને આધુનિકીકરણની યોજનાને પહોંચી વળવા માટે ૨૦૩૨ સુધી ભારતીય રેલવેને ૩૫.૩ ટ્રિલિયન રૂપિયાની જરૂર દેખાઈ રહી છે. સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવેલા મંત્રાલયના અહેવાલમાં કહેવામાં આવ્યું છે. પિયુષ ગોયેલના નેતૃત્વમાં રેલવે દ્વારા પહેલાથી જ કામગીરી શરૂ કરી દેવાઈ છે. આગામી વર્ષોમાં દર વર્ષે૪૦૦૦ કિમીની વિજળીકરણની સિદ્ધિ હાસલ કરવામાં આવનાર છે. ૨૦૧૫-૧૬ દરમિયાન રેલવે માટે કેપેક્ષનો આંકડો ૯૩૫.૨ અબજ રૂપિયાનો હતો. જ્યારે ૨૦૧૬-૧૭માં આ આંકડો ૧.૨૧ ટ્રિલિયન રૂપિયાનો હતો. હાલના વર્ષોમાં ઉલ્લેખનીય વધારો તેમાં થયો છે. નવેસરના પ્લાન મુજબ રેલવે નૂરની હિસ્સેદારી ૩૩ ટકાથી વધીને ૪૭ ટકા સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત રેલવે દ્વારા પેસેન્જર ટ્રેનોના મામલે ૩.૩ ટ્રિલિયન પીકેએમને કરવાની પણ યોજના છે. રેલવે દ્વારા આધુનિકીકરણ માટે જે પહેલ કરાઈ છે જેના ભાગરુપે ૨૦૩૨ સુધી ૩૫૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ રેલવે કરશે. ડબલિંગની વાત કરવામાં આવે તો ૧૦૦૦૦ કિમી છે. રેલવે ઇલેક્ટ્રીફિકેશનનો આંકડો ૧૫૦૦૦ કિલોમીટરનો છે. સંપત્તિ વધારવાની દિશામાં સંશાધનો વધારવામાં આવશે. બજેટમાં યુરોપિયન ટ્રેન કન્ટ્રોલ સિસ્ટમ (ઇટીસીએસ) ટેકનોલોજીના અમલીકરણની દિશામાં સરકાર આગળ વધી રહી છે. આના પરિણામ સ્વરુપે દેશને અને રેલવે પર ૬૦૦ અબજ રૂપિયાનો બોજ પડશે. રેલવે સ્ટેશનોના કોમર્શિયલ આધુનિકીકરણ માટે એક ટ્રિલિયન રૂપિયાની યોજના તૈયાર કરાઈ છે.

Related posts

पाक आतंकी हमला करता है तो हम फिर करेंगे एयरस्ट्राइक : IAF प्रमुख

aapnugujarat

છત્તીસગઢ : નક્સલ હુમલામાં છ બીએસએફ જવાનો ઘાયલ

aapnugujarat

ભાજપને હરાવવા માટે કરીના કપૂર ખાન ભોપાલથી લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1