સુપ્રીમ કોર્ટે આપેલા વચગાળાના આદેશ બાદ કરણી સેના ફિલ્મ પદ્માવતનો વિરોધ કરવા અડગ છે. ફિલ્મ પર પ્રતિબંધ મુકવા અંગેની એક અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવતા કરણી સેનાએ રાજસ્થાનમાં પ્રસુન જોશીને ઘૂસવા નહીં દેવાની ધમકી આપી છે.
કોર્ટમાં ફરિયાદી પક્ષના વકીલ મનોહર લાલા શર્માએ જણાવ્યુ કે સીબીએફસી દ્વારા આપવામાં આવેલુ સર્ટિફિકેટ ગેરકાયદાકીય છે. આ મામલે સુખદેવ સિંહે જણાવ્યુ કે ફિલ્મને સર્ટિફિકેટ આપનાર સીબીએફસીના અધ્યક્ષ પ્રસૂન જોશીને અમે રાજસ્થાનમાં ઘૂસવા નહીં દઈએ.ગત્ત દિવસે કોર્ટે વચગાળાનો આદેશ આપતા જણાવ્યુ હતું કે ફિલ્મ પર પ્રતિબંધ હટાવ્યો હતો. સીજેઆઈ દીપક મિશ્રાની અધ્યક્ષતા વાળી ત્રણ સભ્યોની ખંડપીઠે જણાવ્યુ હતુ કે, બેંડિટ ક્વીન જેવી ફિલ્મ રિલીઝ થઈ શકે તો પદ્માવત કેમ નહી.