બાબા રામદેવના નેતૃત્વમાં પતંજલિ આયુર્વેદે તેની એફએમસીજી વસ્તુઓ માટે ઇ-કોમર્સના ક્ષેત્રમાં એન્ટ્રી કરવાની જાહેરાત કરી દીધી છે. એમેઝોન અને ફ્લિપકાર્ટ સહિત આ ક્ષેત્રમાં રહેલી મોટી કંપનીઓને પછડાટ આપવા માટે તૈયારી કરી લીધી છે. પતંજલિ આયુર્વેદે જાહેરાત કરી છે કે, એકલા આ વર્ષે ૧૦૦૦ કરોડ રૂપિયાની ચીજવસ્તુ વેચવાની યોજના છે. હરિદ્વાર સ્થિત આ કંપનીએ કહ્યું છે કે, આઠ કંપનીઓ સાથે હાથ મિલાવવામાં આવ્યા છે જેમાં ગ્રોફર્સ, બીગબાસ્કેટ, વનએમજી, પેટીએમ મોલનો સમાવેશ થાય છે. પતંજલિએ એમ પણ કહ્યું છે કે, તે આગામી દિવસોમાં દિવ્યજલ મારફતે બોટલમાં આવતા પાણી જેવા પ્રોડક્ટમાં પણ એન્ટ્રી કરનાર છે. આ ઉપરાંત ફુટવેરમાં પણ એન્ટ્રી કરશે.