મિસ ઇન્ડિયા તો ક્રાઉન આમ તો સુંદરતાની સાથે સાથે આત્મવિશ્વાસનું પણ પ્રતિક માનવામાં આવે છે. પરંતુ પૂર્વ મિસ ઇન્ડિયા અને અભિનેત્રી શોભિતા ધુલિપાલએ જ કહ્યું તે સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે. તેણે ક્હયું મિસ ઇન્ડિયા બનવા માટે તેણે પોતાના આત્મસમ્માન સાથે સમજૂતીઓ કરવી પડી હતી. શોભિતા ધુલિપાત અનુરાગ કશ્યપની ફિલ્મ ‘રમન રાઘવ ૨.૦’થી ફિલ્મી કારકિર્દીની શરુઆત કરી રહી છે. કરનાર અભિનેત્રીએ કહ્યં કે, ‘મે તો ક્યારેય મિસ ઇન્ડિયા વીશે વિચાર્યું જ નહોતું આ તો મિત્રોએ કહ્યું અને ભાગ લીધો.’
પહેલા તો ફક્ત મિત્રોને દેખાડવા માટે જ ફોર્મ ભર્યું હતું અને પહેલો રાઉન્ડ કરીને બહાર નીકળી જવાની હતી. જોકે આશ્ચર્ય વચ્ચે હું પહેલા રાઉન્ડમાં સિલેક્ટ થઈ ગઈ અને પછી તો મને પણ આ ક્રાઉન મેળવવાની ઇચ્છા થઈ ગઈ હતી. શોભિતા પોતાના મિસ ઇન્ડિયા સ્પર્ધાના દિવસોને યાદ કરતા કહે છે કે પહેલીવાર મને મહત્વ મળતું હતું. કેમ કે ત્યાર સુધી મને ક્યારેય લાઇફમાં મહત્વ મળ્યું નહોતું જેતી હું થોડુ અલગ અનુભવતી હતી. કેમ કે હું ક્યારેય આટલા મહત્વને ટેવાયેલી નહોતી.
તેણે કહ્યું કે, આ ટાઇટલ જીતવા સુધીમાં તો હું એક અલગ જ વ્યક્તિ બની ગઈ હતી. આ સફરે મને એવી વ્યક્તિ બનાવી દીધી જે મનોરંજક હોય, આકર્ષક હોય. તેણે સ્વીકાર્યું કે ૨૦૧૩માં મિસ ઇન્ડિયા બન્યા બાદ તેને સતત એવું લાગતું હતું કે હું ટાઇટલ તો જીતી ગઈ હતી પરંતુ મેં મારી જાતને ગુમાવી દીધી હતી. શોભિતા રજનીકાંતની આગામી ફિલ્મ ૨.૦માં દેખાશે. આ ઉપરાંત નજીકનાં ભવિષ્યમાં તેની વધુ એક ફિલ્મ ‘કાલાકાંડી’ પણ આવી રહી છે. આ ફિલ્મનું ડિરેક્શન અક્ષત વર્માએ કહ્યું છે. જે આગામી ૧૨ જાન્યુઆરીએ રિલિઝ થશે.