બોલિવુડમાં એક્શન સ્ટાર તરીકે લોકપ્રિય રહેલા અજય દેવગને હવે યોગ ગુરૂ બાબા રામદેવની લાઇફ પર ફિલ્મ બનાવવા જઇ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી તે બાબા રામદેવની ભૂમિકા કોણ કરશે તેને લઇને પરેશાન હતો. આ રોલ કોણ કરશે તેની ચર્ચા ચાલી રહી હતી. યોગ્ય પાત્રની શોધ પણ ચાલી રહી હતી. હવે રોલ માટે પાત્રને શોધી કાઢવામાં સફળતા મળી ગઇ છે. દેવગનના ટીવી પ્રોડક્શનમાં ટાઇટલ રોલ હવે એમએસ ધોની ફિલ્મના કલાકાર ક્રાન્તિ પ્રકાશ ઝાં અદા કરનાર છે. ડિસ્કવરી જીત સ્વામી રામદેવ એક સંઘર્ષ પર ટીવી સિરિઝ પર અજય દેવગન કામ કરી રહ્યો છે તેવા અહેવાલ આવ્યા હતા. હવે રામદેવની ભૂમિકા કોણ અદા કરશે તેની શોધ પૂર્ણ કરી લેવામાં આવીછે. નેશનલ એવોર્ડ વિનર બાળ કલાકાર ક્રાનતિ પ્રકાશ ઝાં રામદેવની ભૂમિકા અદા કરનાર છે. સુશાંત સિંહ રાજપુત અભિનિત ફિલ્મ એમએસ ધોનીમાં ભૂમિકા અદા કરનાર ઝાની પસંદગી કરવામાં આવ્યા બાદ આને લઇને ચાલી રહેલી ચર્ચાનો અંત આવ્યો છે. સંતોષ લાલ તરીકેની ભૂમિકામાં તે ધોનીમાં નજરે પડ્યો હતો. રામદેવ પણ ખુશ છે કે તેમના લાઇફ પર એક ફિલ્મ બનાવવામાં આવી રહી છે. ક્રાન્તિએકહ્યુ છે કે તે રામદેવની ભૂમિકાને શાનદાર રીતે અદા કરવા માટે ખુબ ઉત્સુક છે. રામદેવની લાઇફ વિતેલા વર્ષોમાં ખુબ સંઘર્ષવાળી રહી છે. કારણ કે તેમને બિમારીથી તકલીફ થઇ હતી. વિકલાગતાના કારણે પરેશાન પણ થયા હતા. હવે રામદેવ દેશના સૌથી લોકપ્રિય યુગ ગુરૂ તરીકે ઉભરી ચુક્યા છે. ફિલ્મમાં અભિનેત્રી તરીકે કોણ રહેશે અને અન્ય કલાકારો અંગે ટુંક સમયમાં જ નિર્ણય કરવામાં આવી શકે છે. અજય દેવગન હાલ ભારે ખુશ છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ