રણબીર કપુર, એશ્વર્યા રાય બચ્ચન અને અનુષ્કા શર્માને લઇને યે દિલ હે મુશ્કેલ ફિલ્મ બનાવ્યા બાદ હવે કરણ જોહરે નવી મલ્ટી સ્ટારર ફિલ્મ બનાવવા માટેની તૈયારી કરી લીધી છે. ફિલ્મમાં અનેક મોટા સ્ટારને લેવામાં આવી શકે છે. ફિલ્મમાં વરૂણ ધવન, આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપુર અને સંજય દત્તને લેવામાં આવનાર છે. શ્રીદેવી પણ કામ કરવા જઇ રહી છે. જો કે આ પ્રકારની કોઇ ફિલ્મ અંગે માહિતી હોવાનો આલિયા અને વરૂણે ઇન્કાર કર્યો છે. વરૂણે કહ્યુ છે કે કઇ ફિલ્મ, તમને કોણે કહ્યુ, અમે આ પ્રકારની ફિલ્મના સંબંધમાં કોઇ માહિતી ધરાવતા નથી. સ્ટુડન્ટ ઓફ ધ યર, હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા અને અને બદ્રીનાથ કી દુલ્હનિયા જેવી ફિલ્મમાં આલિયા ભટ્ટ અને વરૂણ ધવન સાથે કામ કરી ચુક્યા છે. એવુ જાણવા મળ્યુ છે કે આદિત્ય અને વરૂણ ફિલ્મમાં બે ભાઇના રોલમાં નજરે પડનાર છે. જે ખુબ તંગ સંબંધ ધરાવે છે. જ્યારે સંજય દત્ત અને શ્રીદેવી તેમના માતાપિતાના રોલમાં નજરે પડનાર છે. ભારત-પાકિસ્તાનના ભાગલા પર આ ફિલ્મ આધારિત હોવાનુ જાણવા મળ્યુ છે. ફિલ્મની પટકથા ગુલાબ ગુલાટી દ્વારા લખવામાં આવી છે. અભિષેક વર્મા પણ પટકથા લખી રહ્યા છે.
વરૂણ અને આલિયાએ કરણની ફિલ્મ મારફતે બોલિવુડ કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદથી બન્ને કલાકારોએ પાછળ વળીને જોયુ નથી. એકપછી એક સારી ફિલ્મો મેળવી છે. સારી સફળતા પણ મેળવી છે.ફિલ્મને લઇને બન્ને કલાકારો આશાવાદી બનેલા છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ