વિતેલા જમાનાની સુપરહીટ અભિનેત્રી મીના કુમારીના જીવન પર બનનારી ફિલ્મની ચર્ચા છેલ્લા ઘણા સમયથી બોલિવૂડમાં ચાલી રહી છે. આ ફિલ્મ માટે મુખ્ય ચર્ચા મીના કુમારીનું પાત્ર કોણ ભજવશે તેની હતી. હવે મીના કુમારીના પાત્ર સની લિયોની ભજવશે તેવી ચર્ચાઓએ વેગ લીધો છે. જી હાં ફિલ્મના નિર્દેશક કરણ રાજદાને સની સાથે મુલાકાત કરી અને તેને સ્ક્રિપ્ટ સંભળાવી હતી. જે સનીને પસંદ પડતાં તેણે મીના કુમારીનું પાત્ર ભજવવા માટે હા કહી દીધી છે. મહત્વપૂર્ણ છે કે મીના કુમારીના પાત્ર માટે અગાઉ વિદ્યા બાલનને ઓફર કરવામાં આવી હતી પરંતુ ફિલ્મની વાર્તામાં મીના કુમારીના જીવનના કેટલાક તથ્યને ન્યાન નથી મળી રહ્યો તે કારણ સાથે તેણે આ ઓફર સ્વીકારી ન હતી. વિદ્યા બાદ કરણે આ ઓફર માધુરી દિક્ષીતને કરી હતી. પરંતુ તેણે પણ બાયોપિકમાં કામ કરવાની ના સ્ક્રિપ્ટ વાંચ્યા બાદ કરી દીધી હતી. બોલિવૂડની બે દિગ્ગજ અભિનેત્રીઓએ ફિલ્મ ઠુકરાવ્યા બાદ કરણે આ ઓફર સનીને કરી હતી.આ અંગે કરણ રાજદાએ પણ જણાવ્યું હતુ કે, વિદ્યા બાલન આ ફિલ્મ માટે તૈયાર નથી તે કારણે તેણે ફિલ્મ માટે ના કહી છે. પરંતુ માધુરી પછી જ્યારે સની લિયોનીને આ ફિલ્મ માટે સંપર્ક કર્યો તો તેણે ફિલ્મ માટે ઉત્સાહ બતાવ્યો અને સ્ક્રિપ્ટ સાંભળ્યા બાદ સની ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર થઈ છે.