બોલિવુડમાં હાલમાં કરીના કપુર અને સોનમ કપુર અભિનિત ફિલ્મ વીરે દી વેડિંગને લઇને ભારે ચર્ચા છે. આ પિલ્મને લઇને ઝડથી શુટિંગ કરવામાં આવી રહ્યુ છે. ફિલ્મ પ્રાથમિક ટાઇમ ટેબલ મુજબ વર્ષ ૨૦૧૮માં રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મ ૧૮મી મેના દિવસે રજૂ કરવાની યોજના છે. ફિલ્મમાં સોનમ કપુર અને કરીના કપુર કામ કરી રહી છે. હકીકતમાં હાલમાં જ સોનમ કપુરે ટ્વીટર પર માહિતી આપતા કહ્યુ હતુ કે આ ફિલ્મનુ શુટિંગ શરૂ કરવામાં આવ્યુ છે. સોનમ કપુરના પિતા અનિલ કપુરે પણ સોનમના નિવેદન બાદ નારાજ છે. ફિલ્મ સાથે જોડાયેલા સુત્રોએ કહ્યુ છે કે આ સમાચાર સાંભવ્યા બાદ અનિલ કપુરે હવે એકતા કપુરની સાથે વાત કરી છે. એકતા કપુર હવે માની ગઇ છે. તે નિર્માત્રી તરીકે ફિલ્મ સાથે જોડાયેલી રહી છે. અનિલ કપુરે એકતાના પિતા જીતેન્દ્ર સાથે પણ વાત કરી છે. અનિલ કપુરે જીતેન્દ્રને મળીને એકતાને સમજાવવાના પ્રયાસ કર્યા હતા. જેમાં તેને સફળતા મળી છે. એકતા કપુર એકાએક અલગ કેમ થવા ઇચ્છુક હતી તે કોઇ વાત કરવામાં આવી નથી. આને લઇને કોઇ નક્કર બાબત સપાટી પર આવી નથી. જો કે હવે વિવાદનો અંત આવ્યો છે. અનિલ કપુરની પુત્રી રિયા કપુર ફિલ્મની નિર્માત્રી તરીકે છે. આ ફિલ્મમાં સોનમ કપુર અને કરીના કપુરની મુખ્ય ભૂમિકા છે. આ ઉપરાંત સ્વરા ભાસ્કર અને શિખાની પણ મુખ્ય ભૂમિકા છે. એકતા કપુર ફિલ્મને લઇને આશાવાદી છે. સોનમ કપુર પોતાની બહેન રિયા સાથે કામ કરીને ભારે ખુશ દેખાઇ રહી છે. આ એક કોમેડી રોમાંચક ફિલ્મ તરીકે રહી છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ