ફિલ્મ પદ્માવતીને લઈને થયેલો વિરોધ શાંત થવાનું નામ નથી લેતો. નિવેદનબાજી સતત ચાલુ જ છે. હવે આ વિવાદમા નવુ નિવેદન સામે આવ્યુઁ છે.
મેરઠના રાજપૂત સમાજના એક નેતાએ ફરી એકવાર ચોંકાવનારું નિવેદન આપ્યું છે.મેરઠ સમાજના રાજપૂત નેતા અભિષેક સોમે જાહેરાત કરી છે કે, હવે તેઓ સંજય લીલા ભણસાલીની માતા લીલા ભણસાલી પર વાસ્તવિક ચરિત્ર પર આધારિત ફિલ્મ બનાવશે. અભિષેક સોમે કહ્યું કે, રાજપૂત સમાજના સહયોગથી તેઓ લીલા – ધ લૈલા નામની એક ફિલ્મ બનાવશે.
આ ફિલ્મની સ્ટોરી સંજય લીલા ભણસાલીની માતા લીલા ભણસાલી પર આધારિત હશે, કે કેવી રીતે તે સામાન્ય વ્યક્તિથી ખાસ મહિલા બની.સોમે કહ્યું કે, દીપિકા પાદુકોણને પણ હું આ ફિલ્મમાં કામ કરવાનું આમંત્રણ આપીશ. પરંતુ તે આ ફિલ્મમાં વગર કોઈ શરતે કામ કરે. ફિલ્મ બનાવવા માટે રાજપૂત સમાજની તરફથી તેમને ૫૦ કરોડ રૂપિયાની રકમ સહાયતા તરીકે આપવાનો વાયદો પણ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, અભિષેક સોમ એ શખ્સ છે, જેણે થોડા સમય પહેલા જ કહ્યું હતું કે, તે સંજય લીલા ભણસાલી અને અભિનેત્રી દીપિકા પાદુકોણનુ માથુ વાઢી નાખનારને પાંચ કરોડનું ઈનામ આપશે. આ નિવેદનને લઈને તેની વિરુદ્ધ એફઆઈઆર પણ થઈ ચૂકી છે.