કરણી સેના ભારતમાં પદ્માવતીની રીલીઝ રોકવા માટે આ રાજપૂત સંગઠને પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. અને કરણી સેનાના સમર્થનમાં બીજા સંગઠનો પણ ઉતર્યા છે તે દરમિયાન કરણી સેનાના નેતાઓને પાકિસ્તાનમાંથી ધમકીભર્યા ફોન આવી રહ્યા છે. અને ફોનમાં કહેવાઈ રહ્યું છે કે જો પદ્માવતીની રીલીઝ અટકાવવામાં આવી તો બોમ્બ બ્લાસ્ટ કરીશું.મહિપાલ સિંહે જણાવ્યુ હતુ કે તેમને એક ફોન આવ્યો હતો જેમાં કરણી સેનાના ચિફને મારવાની ધમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.આ ફોન કોલ બાદ સંગઠને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપમાં ફરિયાદ દાખલ કરાવી છે. અને આ મુદ્દે રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેએ કેન્દ્રને એક પત્ર લખીને જરૂરી બદલાવ બાદ જ ફિલ્મ રીલીઝ કરવાની માંગણી કરી છે. જેથી કોઈ ધર્મની કે સમુદાયની આસ્થાને ઠેસ ન પહોંચે.કરણી સેનાના મહિપાલ સિંહ મકરાણાએ જણાવ્યું હતું કે ધમકી આપનારા સંગઠનના પ્રવક્તાએ કોલ કર્યો હતો અને કહ્યું હતું કે જો પદ્માવતીનો વિરોધ બંધ ન કર્યો તો ૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટની જેમ હુમલો કરીશું. આ કથિત ધમકીનો ઓડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે.