અમેરિકાના અર્થશાસ્ત્રી અને નોબેલ પુરસ્કાર વિજેતા રિચર્ડ થેલરનું માનવું છે કે મોદી સરકારનું નોટબંધીનું પગલું સારો કોન્સેપ્ટ હતો પરંતુ તેને લાગૂ કરવામાં મોટી ભૂલો થઇ.
થેલર એ કહ્યું કે ૨૦૦૦ રૂપિયાની નોટ લાવ્યા તે સમજની બહાર છે અને તેના લીધે કાળું નાણું ખત્મ કરવા અને દેશને ઓછી કેશ ઇકૉનોમી બનાવા જેવા ઉદ્દેશ્ય પણ મુશ્કેલ થઇ ગયા. આ વાત થેલર એ શિકાગો યુનિવર્સિટીના વિદ્યાર્થી સ્વરાજ કુમારના પ્રશ્નના જવાબમાં કહી.શિકાગો યુનિવર્સિટીના વિદ્યાર્થી સ્વરાજ કુમારે ટિ્વટર પર થેલરની સાથે ઇ-મેલ પર થયેલી વાતચીતને શેર કરી છે. નોટબંધી પર પૂછેલા પ્રશ્ન પર થેલર એ મેલ કરીને જવાબ આપ્યો, ‘કેશલેસ સોસાયટીની તરફ આગળ વધવું અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે આ કૉન્સેપ્ટ સારો હતો પરંતુ તેને લાગૂ કરવામાં મોટી ભૂલો થઇ અને ૨૦૦૦ રૂપિયાની નોટ જાહેર થતા તેની આખી પ્રક્રિયાને આડી-અવડી બનાવી દીધી’. સ્વરાજના ટ્વીટને બાદમાં થેલર એ પણ રીટ્વીટ કરી દીધી.૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કરી હતી ત્યારે થેલર એ ટ્વીટ કરતાં કહ્યું હતું કે આ પગલાંની શરૂઆતથી હિમાયતી રહ્યો છું. જો કે જ્યારે તેમને ખબર પડી કે સરકાર એ ૨૦૦૦ રૂપિયાની નોટ પણ રજૂ કરી છે તો તેમણે તેના પર અફસોસ વ્યક્ત કર્યો હતો.શિકાગો યુનિવર્સિટીના પ્રોફેસર રિચર્ડ થેલરને આ વર્ષે અર્થશાસ્ત્રનું નોબેલ આપવામાં આવ્યું હતું. તેમના આ પુરસ્કાર વ્યવહારિક અર્થશાસ્ત્ર પર તેમના કામ માટે આપવામાં આવ્યું.