ફિલ્મ પદ્માવતીનો વિરોધ કરી રહેલી કરણી સેનાએ અભિનેત્રી દિપીકા ઉપર હુમલો કરવાની ધમકી પણ આપી દીધી છે. કરણી સેનાના અધ્યક્ષ લોકેન્દ્રનું કહેવું છે કે જો અમને ઉશ્કેરવામાં આવશે તો અમે દિપીકાનું નાક કાપી દઇશું. પહેલી ડિસેમ્બરના દિવસે ફિલ્મની રજૂઆતના દિવસે અમે ભારત બંધની જાહેરાત કરી ચુક્યા છે. રાજસ્થાનમાં કરણી સેનાના વધુ એક નેતા મહિપાલ મકરાણાએ કહ્યું છે કે, દિપીકાને અમે ચેતવણી આપી રહ્યા છીએ. દિપીકાએ ફિલ્મના વિરોધની ટિકા કરી હતી અને કહ્યું હતું કે, કોઇપણ વ્યક્તિ પદ્માવતીની રજૂઆતને રોકી શકે નહીં. દિપીકાએ એમ પણ કહ્યું હતું કે, અમે દેશને આ રીતે પાછળ લઇ જઇ રહ્યા છે. કરણી સેનાના અધ્યક્ષ લોકેન્દ્રએ આજે લખનૌમાં પત્રકાર પરિષદ યોજી હતી અને નિર્દેશક સંજય લીલા ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ફિલ્મમાં હિન્દુઓની ભાવના સાથે રમત કરવામાં આવી છે. તેમની ભાવનાને ઠેસ પહોંચાડવામાં આવી છે. ભણશાલીની ફિલ્મને દુબઈમાંથી ફંડ મલે છે. પાકિસ્તાનમાં બેઠેલા અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમે દુબઈ મારફતે ફિલ્મ માટે પૈસા આપ્યા છે. અમે ફિલ્મની રજૂઆતને મંજુરી આપીશું નહીં. ફિલ્મમાં રણવીરસિંહ અલાઉદ્દીન ખિલજીના રોલમાં અને રાની પદ્માવતીના રોલમાં દિપીકા છે શાહીદ રતનસિંહના રોલમાં છે.
(અનુસંધાન નીચેના પાને)