દેશના પાટનગર દિલ્હીમાં વધતા જતા પ્રદૂષણને લઇને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આરોપો પર હરિયાણા મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે જવાબો આપ્યા છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું છે કે, કેજરીવાલ પ્રદૂષિત રાજનીતિ રમી રહ્યા છે. પત્ર લખીને ખટ્ટરે કહ્યું છે કે, એનસીઆરમાં ખતરનાક બની ગયેલા વાતાવરણની સમસ્યાને ઉકેલવા માટે તેઓ ખરેખર ચિંતિત છે. અને કોઇપણ સમયે કેજરીવાલને મળવા માટે ઇચ્છુક છે. ખટ્ટરે કહ્યું છે કે, તેઓ સોમવાર અને મંગળવારના દિવસે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં રહેશે. મિટિંગને લઇને ઓફિસથી કોઇપણ જવાબ મળી રહ્યા નથી. ખટ્ટરનું કહેવું છે કે, હરિયાણાને ભારતના પ્રથમ કેરોસીન ફ્રી સ્ટેટ અને ખુલ્લામાં શૌચ મુક્ત બનાવનાને લઇને અનુભવથી અમે સંતુષ્ટ છીએ. આ સમસ્યાનો ઉકેલ પણ કરી શકાય છે. તેમનું કહેવું છે કે, કેજરીવાલ સાથે બેસીને પણ સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરે કહ્યું છે કે, કેજરીવાલ આશ્ચર્યજનક વ્યક્તિ છે. કેજરીવાલને ઓછી માહિતીવાળા વિષય પર બોલવાની ટેવ પડી ગઈ છે. હાલમાં કેજરીવાલે હરિયાણા અને પંજાબના મુખ્યમંત્રીઓને દિલ્હીમાં પ્રદૂષણ માટે જવાબદાર ઠેરવ્યા હતા.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ