Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પ્રદ્યુમ્ન હત્યા કેસમાં પોલીસ અધિકારીઓની સામે તવાઈ

ભારે ચકચાર જગાવનાર પ્રદ્યુમ્ન હત્યા કેસમાં હવે હરિયાણા પોલીસના કેટલાક અધિકારીઓ સામે તવાઇ આવી શકે છે. તેમની સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે. રાયન ઇન્ટરનેશનલ સ્કુલમાં માસુમ બાળક પ્રદ્યુમ્ન હત્યા કેસમાં ગુડગાવ પોલીસના ટોપ અધિકારીઓને જવાબ આપવા પડશે. જો સીબીઆઇની તપાસ યોગ્ય દિશામાં આગળ વધી રહી છે તો મોટો પ્રશ્ન એ થાય છે કે પોલીસે આખરે આ વાર્તા કેમ ઘઢી કાઢી હતી. ઉતાવળમાં બસના કન્ડક્ટરની ધરપકડ કેમ કરવામાં આવી હતી.સીબીઆઇની તપાસમાં પોલીસ તપાસ પર કેટલાક પ્રશ્ન થઇ રહ્યા છે. એમ માનવામાં આવે છે કે સીબીઆઇ તપાસ સાથે જોડાયેલા અધિકારીઓ પર કાર્યવાહી કરવા માટે ડીજીપીને પત્ર લખવામાં આવી શકે છે. કેસમાં તપાસ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે. સીબીઆઈએ આ મામલામાં સ્કૂલના ૧૧માં ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીની મંગળનારના દિવસે ધરપકડ કરી હતી. ત્યારબાદથી ક્લીનરની ધરપકડને લઇને પ્રશ્નો ઉઠી રહ્યા હતા. અશોકના જામીન ઉપર ૧૬મી નવેમ્બરના દિવસે સુનાવણી થશે.
આ કેસમાં ગુરુગ્રામના ૧૨ એસોસિએશનના તમામ વકીલોએ આરોપી તરફથી કેસ લડવાનો ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ રોહતકના વકીલ મોહિત વર્મા આરોપી અશોકનો કેસ લડવા માટે તૈયાર થયો હતો. પ્રદ્યુમ્ન હત્યા કેસમાં જે રીતે તપાસ આગળ વધી રહી છે તે રીતે નવી ચીજો સપાટી ઉપર આવી રહી છે. સીબીઆઈના નવા ધડાકાથી એક બાજુ બસ ક્લીનર અશોકને મોટી રાહત થઇ ગઇ છે. પ્રદ્યુમ્ન હત્યા કેસમાં કેટલીક નવી ચીજો સપાટી ઉપર હજુ પણ આવી શકે છે.

Related posts

શારદા ચીટ કાંડમાં સીબીઆઈ દ્વારા કરાયેલા ખુલાસા ગંભીર : સુપ્રીમ

aapnugujarat

દિલ્હી શરાબ નિતી કેસ : 15 એપ્રિલ સુધી જેલમાં રહેશે કેજરીવાલ

aapnugujarat

મહાકુંભ : આજે પોષ એકાદશી સ્નાનને લઇ શ્રદ્ધાળુ ઉત્સુક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1