અમદાવાદ શહેરના પશ્ચિમઝોનમાં આજે સવારના સુમારે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના આગમન અગાઉ એલિસબ્રિજ વિસ્તારમા કર્ણાવતી હોસ્પિટલથી લઈને વી.એસ.હોસ્પિટલ સુધીના પટ્ટામા લારીઓ,કાઉન્ટરો સહિતના દબાણો દુર કરી માલસામાન તંત્ર દ્વારા જપ્ત કરી લેવામા આવ્યો છે.આ અંગે મળતી માહિતી અનુસાર,શહેરના પશ્ચિમઝોનમાં આજે એસ્ટેટ વિભાગ દ્વારા એલિસબ્રિજના છેડે આવેલી કર્ણાવતી હોસ્પિટલની ગલીમાં ઉભા રાખવામા આવતા ગલ્લાઓ,લારીઓ,કાઉન્ટરો સહિત વી.એસ.હોસ્પિટલ સુધીના માર્ગ ઉપરના દબાણો પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહના આગમન અગાઉ સ્થાનિક પોલીસની મદદથી દબાણની ગાડી અને મજુરોની મદદથી દુર કરી માલાસમાન જપ્ત કરી લીધો હતો.
આ ઉપરાંત પ્રિતમનગરના ઢાળ સુધીના રસ્તા ઉપર આવેલા પાણીપુરી વાળાના દબાણને પણ દુર કરવામા આવ્યા છે.પશ્ચિમઝોન એસ્ટેટ વિભાગના સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, પશ્ચિમઝોનમાં આવેલા નહેરૂનગર ખાતે ઘણા લાંબા સમયથી ચાલ્યા આવતા ફેરીયા અને પાથરણાવાળાના મુદ્દાને ધ્યાનમા રાખીને તેમજ આઈઆઈએમ પાસેના ભરાતા રાત્રી બજાર અને ફેરીયાઓ દ્વારા કરવામા આવતા દબાણોને ધ્યાનમા રાખી તંત્ર તરફથી આ વિસ્તારોમાં પણ સતત ચાંપતી નજર રાખવામા આવી રહી છે.આ સાથે જ દબાણની ગાડીઓને પણ રાઉન્ડ ધ કલોક આ વિસ્તારમાં દોડાવવામા આવી રહી છે જેથી હટાવવામા આવેલા દબાણો ફરી પાછા ખડકાઈ ન જાય.